બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાતનું એવું મંદિર જ્યાં મહાદેવને ચડે છે મીઠું અને રીંગણ, જ્યાં પીપળાનું પાન થયું હતું સોનાનું

દેવ દર્શન / ગુજરાતનું એવું મંદિર જ્યાં મહાદેવને ચડે છે મીઠું અને રીંગણ, જ્યાં પીપળાનું પાન થયું હતું સોનાનું

Last Updated: 06:30 AM, 21 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદીઓ પહેલા આ સ્થળે સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થાય એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા..તેવામાં એક દિવસ પાન સોનાનું થઈ જતાં મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવથી વિખ્યાત થયું

બનાસકાંઠા જિલ્લામાથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. ગામનો ઇતિહાસ વર્ષો જૂનો છે.અને ગામનું નામ પ્રાચીન મહાદેવ મંદિરના કારણે મહાદેવિયા પડ્યું છે.

આ રીતે પડ્યુ ગામનું નામ

વર્ષો પહેલા જ્યારે લોકો આ સ્થળ પર વસવાટ માટે આવ્યા ત્યારે ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું.. અને ગામ લોકોએ મંદિરનું સમારકામ કરાવી, મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું.

સાતસો વર્ષ જુનું મંદિર

ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં બિરાજમાન મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ પૌરાણિક હોવાનું મનાય છે.

સોનેશ્વર નામ પડવા પાછળની પૌરાણિક કથા

સદીઓ પહેલા આ સ્થળે સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થાય એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મુક્તા હતા..તેવામાં એક દિવસ પાન સોનાનું થઈ જતાં મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવથી વિખ્યાત થયું. બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિઝવવા માટે શિવાલયમાં પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે.

ભક્તો શિવજીના દર્શન કરી મીઠું અને રીંગણ ચઢાવે છે

સોનેશ્વર મહાદેવની જમીન તપોભૂમિ હોવાના કારણે અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હવન કરાવે છે. અને ભાવિકો નિયમિત ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે છે. મહાદેવના મંદિરેમાં ભક્તો શિવજીના દર્શન કરી મીઠું અને રીંગણ ચઢાવે છે..શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે........

શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે

બનાસ નદીના તટ પર બિરાજતા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે અને મેળામાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિક ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા ઉમટી પડે છે.મહાદેવના મંદિરે સાકર અને ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાળકોને કોઈપણ પ્રકારની બીમારી થઈ હોય તો ભાવિકભક્તો સાકર અને ગોળની બાધા રાખે છે અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભાવિકો ભોળાનાથના દર્શન કરવા અચૂક આવે છે.

ખેડૂતોની આસ્થાનું પ્રતિક છે આ મંદિર

સોનેશ્વર મહાદેવના મંદિરે ભાવિકભક્તો શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે.. મહાદેવનુ આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખેડૂતોને ખૂબ શ્રદ્ધા રહેલી છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા પહેલા અચૂક મહાદેવના મંદિરે દર્શન કરવા આવે છે. પોતાના ખેતરોમાં શાકભાજી કઠોળ સહિત કોઈ પણ પ્રકારનો પાક તૈયાર થાય તો સૌથી પહેલા પ્રસાદ રૂપે ભગવાન ભોળાનાથ ના ચરણોમાં ધરાવવામાં આવે છે અને તે બાદ ખેડૂતો પોતાનો પાક બજારમાં વેચવા માટે જાય છે.

પ્રસાદ રૂપે પહેલો પાક ચડાવવામાં આવે છે

વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ચાલી આવતી પરંપરાને આજની પેઢીએ પણ જાળવી રાખી છે. ખેડૂતોનું માનવું છે કે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે પહેલો પાક ચડાવવામાં આવે છે જેના કારણે પોતાના ખેતરમાં સારો પાક તૈયાર થાય છે અને બજારમાં પાકની આવક પણ સારી થાય છે.

ડીસામાં બનાસ નદીના રમણીય તટ પર 700 વર્ષથી બિરાજમાન સોનેશ્વર મહાદેવ મંદિર, સોનેરી ઇતિહાસ સાથે ભાવિક ભકતોની આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં શ્વાનોની જઠરાગ્ની ઠારતું મંદિર, જ્યાં જહુ માતાનો છે અખંડ ધૂણો, દર્શન માત્રથી થાય છે દુખ દૂર

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Dharma Soneshwar Mahadev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ