પોતાની ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની સક્સેસ એન્જોય કરી રહેલી બોલિવુડની એક્ટ્રેસ સોનમ કપૂર હાલમાં પોતાના બિઝનેસમેન હસબન્ડ આનંદ આહુજા સાથે લંડનમાં છે. આ કપલ સતત પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર વીડિયોઝ અને ફોટોઝ શૅર કરીને પોતાની ટ્રિપ અંગે અપડેટ કરી રહી છે. આ વચ્ચે એક્ટ્રેસના એક ઇન્ટરવ્યૂની ચર્ચા પણ થઇ રહી છે જેમાં તેણે પોતાના બાળકો વિશે વાત કરી હતી..
એક ઇન્ટરવ્યૂમાં સોનમ કપૂરે જણાવ્યું હતું કે તે ચોક્કસપણે તેના બાળકના નામમાં સોનમ આહુજા રાખશે. તમને જણાવી દઈએ કે આ આહુજા આનંદની સરનેમ છે. સોનમ કપૂરે પણ લગ્ન બાદ તેના નામ ‘સોનમ કપૂર અહુજા’રાખ્યું છે. જ્યારે આનંદ આહુજાએ પણ લગ્ન પોતાનું નામ બદલીને ‘આનંદ સોનમ આહુજા’ કર્યું છે.
સોનમ કપૂરે કહ્યું ‘લગ્ન પછી આનંદ પણ તેનું નામ બદલવા ઇચ્છતો હતો.. તેણે મને પૂછ્યું કે શું તેનું નામ આનંદ આહુજા કપૂર અથવા આનંદ કપૂર આહુજા રાખું?' . આ વિષય પર મેં કહ્યું કે કપૂર મારા પિતાનું નામ છે.’ અભિનેત્રીએ કહ્યું કે તે આનંદ અને તેના બાળકોના નામમાં તેનું નામ રાખવા માંગે છે. તેણે કહ્યું ‘મારા કહેવા પ્રમાણે આનંદે તેનું નામ ‘આનંદ સોનમ આહુજા’ રાખ્યું છે. અમારા આ જ નામ સાથેના પાસપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.’
સોનમ કપૂરે કહ્યું કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે જેના કારણે અમારા નામ પાછળ માતા સુનિતાનું નામ નહી પરંતુ પિતા અનિલનું નામ લગાવવામાં આવ્યુ છે.. જો કે તેણે કહ્યું હતું કે તે તેના પિતાને એટલો બધો પ્રેમ કરે છે કે લગ્ન પછી પણ તેની અટક તેમના નામથી દૂર કરવા માંગતી નથી. પરંતુ તેમના બાળકને તેમના પિતા સાથે માતાનું નામ મળે તેવી ઇચ્છા છે જેથી અમે તેમની સરનેમ સોનમ આહૂજા રાખીશું.’
ઉલ્લેખનીય છે કે સોનમ કપૂર પહેલાં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને તેના ક્રિકેટર પતિ શોએબ મલિકે એ જ નિર્ણય કર્યો હતો. સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે તેણે અને તેના પતિ બંનેની અટક તેમના બાળકના આપવામાં આવશે એટલે કે તેમના બાળકની અટક ‘મિર્ઝા મલિક’ હશે.