સોનાલી ફોગાટના પરિવારનું કહેવું છે કે ક્યાંક આ કેસ સુશાંત સિંહ રાજપૂતનાં કેસ જેવો ન બની જાય. તેઓ ન્યાય માટે કંઈપણ કરવા તૈયાર છે.
સોનાલીના પરિવારે ડર જતાવ્યો આ મામલો સુશાંતનાં કેસ જેવો ન બની જાય
પરિવારે કહ્યું કે ન્યાય માટે જે પણ કરવું પડે તે કરશું
ગુનેગારોને ફાંસી આપવામાં આવે - સોનાલી ફોગાટનાં જેઠ
સોનાલીના પરિવારે ડર જતાવ્યો આ મામલો સુશાંતનાં કેસ જેવો ન બની જાય
ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનાં નિધનનો મામ્મલો દિવસેને દિવસે વધારે ઘાટો બનતો જાય છે. પહેલા હારત એટેકની વાત કરવામાં આવી રહી હતી, પછી સોનાલીનાં પરિવારે સુધીર પર શંકા જતાવી અને ગોવા પોલીસે ડ્રગ્સ થીયરીને હવા આપી. મૃત્યુ પહેલા સોનાલી જે કર્લી ક્લબમાં હાજર હતી, તેના માલિકને પોલીસે અરેસ્ત કર્યો છે અને સાથે જ ડ્રગ પેડલરને પણ અરેસ્ત કરવામાં આવ્યો છે, પરંતુ પરિવારનું કહેવું છે કે અમે નથી ઈચ્છતા કે આ મામલો પણ દિવંગત સુશાંત સિંહ રાજપૂતનાં કેસની જેમ થઈ જાય.
સોનાલીનાં જેઠ કુલદીપ ફોગાટે કહ્યું કે જે પ્રકારે અત્યારે તપાસ થઇ રહી છે, તેનાથી લાગે છે કે અમને ન્યાય મળશે. આ સાથે જ ડ્રગ એન્ગલને લઈને તેમણે કહ્યું કે આ મામલો ડ્રગ સુધી સીમટી ન શકે, કેમકે જો દ્રગથી મૃત્યુ થાય, તો તરત જ થઇ જાય. તેમણે કહ્યું કે સોનાલીને બથરૂરમાં રાખવામાં આવી હતી, પોસ્ટમોર્ટમમાં ઈજાના નિશાન મળ્યાં છે.
કુલદીપ ફોગાટે કહ્યું કે આ મર્ડર કેસ છે, ડ્રગ્સ કેસ નહીં. અ કેસને ડ્રગ્સ એન્ગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. ડ્રગ કેસમાં પછી જામીન મળી જાય છે, સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં પણ આમ જ બન્યું હતું. આ કેસને પણ સુશાંત સિંહ રાજપૂતનાં કેસની જેમ જ બનાવવામાં આવી રહ્યો છે.
ન્યાય માટે જે કરવું પડે, તે કરશું
સોનાલીના જેઠે આરોપ લગાવતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતને રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ આપ્યા હતા, પરંતુ તે અત્યારે જેલની બહાર છે. જોકે, આ મામલો હજુ પૂરો થયો નથી. તેમણે કહ્યું કે સોનાલીનું મૃત્યુ ડ્રગ્સનો મામલો નથી, પણ તેને મારવામાં આવી છે. તેમણે કહ્યું કે ન્યાય માટે જે કંઈપણ કરવું પડે, તે કરશું.
ગુનેગારોને ફાંસી આપવામાં આવે
કુલદીપ ફોગાટે કહ્યું કે અમે માંગ કરીએ છીએ કે સોનાલીનાં હત્યારાઓને ફાંસી આપવામાં આવે. જો આ મામલો સાબિત નથી થતો કે તેની હત્યા કરવામાં આવી છે, તો અમે સીબીઆઈની તપાસની માંગ કરશું. અમે નાર્કો ટેસ્ટની પણ માંગ કરશું.