પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. સત્તાધારી પાર્ટી TMCની ફરી વાપસી થઈ ગઈ છે અને મમતા બેનર્જી ફરી એક વખત સીએમ બની ગયા છે. આ વચ્ચે ચૂંટણીના સમયે ટીએમ છોડીને બીજેપીમાં સામેલ થયેલી પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહાએ મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું કે 'જે પ્રકારે માછલી પાણી વગર નથી રહી શકતી, તેવી જ રીતે હું તમારા વગર નહીં રહી શકું, દીદી.'
માફી માંગવા ઈચ્છુ છું કે મેં પાર્ટી છોડી
ટીએમસી છોડીને બીજેપીમાં શામેલ થયેલી સોનાલી ગુહાએ સીએમ મમતાને કહ્યું કે હું તમારી માફી માંગવા ઈચ્છુ છું કે મેં પાર્ટી છોડી. જો તમે મને માફ નહીં કરો તો હું જીવતી નહીં રહી શકું. કૃપા કરીને મને પાર્ટીમાં પરત ફરવાની પરવાનગી આપી દો. જેથી હું પોતાનું બાકીનું જીવન તમારા સ્નેહમાં પસાર કરી શકું. સોનાલી ગુહાએ કહ્યું કે તૂટેલા દિલથી આ વાત લખી રહી છું મેં ભાવુક થઈને હું બીજી પાર્ટીમાં શામેલ થવાનો ખોટો નિર્ણય લીધો હતો.
ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે સોનાલી
જણાવી દઈએ કે સોનાલી ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને ક્યારેક તેમને સીએમ મમતા બેનર્જીના નજીકના માનવામાં આવતા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે બીજેપી જોઈન કરી લીધુ. તેમને આ વખતે ટીએમસીએ વિધાનસભા ચૂંટણીની ટિકિટ પણ આપી હતી. જ્યાર બાદ તેમણે ટીવી ચેનલો પર તેમણે નારાજગી વ્યક્ત કર્યા બાદ પાર્ટી છોડી દીધી અને બીજેપીમાં શામેલ થઈ ગયા. જોકે તેમણે ચૂંટણી ન હતી લડી પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે તે બીજેપી સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે.
બીજેપીમાં શામેલ થવાનો મારો નિર્ણય ખોટો
સોનાલી ગુહાએ કહ્યું કે બીજેપીમાં શામેલ થવાનો મારો નિર્ણય ખોટો હતો અને મને આજે આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે. મને હંમેશા ત્યાં અનિચ્છનીય અનુભવ થયો. તેમણે મારો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો અને મને મમતા દીદીને બદનામ કરવા માટે કહ્યું પરંતુ હું એવું ન કરી શકી.
ગુહાએ જણાવ્યું કે તે ટીએમસીમાં ફરી સામેલ થવા માટે સીએમ મમતાને મળવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે હું વ્યક્તિગત રીતે દીદીને મળવાનો પ્રયત્ન કરીશ. પરંતુ તે સીએમ છે અને તમે એવી આશા ન રાખી શકો કે જ્યારે પણ તમે સમય માંગો ત્યારે તે તમને સમય આપી શકે. સોનાલી ગુહાએ કહ્યું કે આવતા અઠવાડિયા સુધી તે આવાસ પર જશે.