થોડા દિવસ પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ 'કલંક'ને ભલે મિક્સ રિવ્યૂઝ મળ્યા હોય પરંતુ તેમાં સોનાક્ષી સિન્હાની એક્ટિંગના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. સોનાક્ષી સિન્હાના પિતા અને એક્ટર શત્રુધ્ન સિન્હા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે. ત્યારે તેણે કહ્યુ કે, 'તે પિતા માટે ચૂંટણી પ્રચાર નહી કરે.' સોનાક્ષી સિન્હાએ આ વાત એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહી હતી.
સોનાક્ષીએ કહ્યુ કે, ''મારા પિતા પાસેથી એવી આશા રાખે છે હું તેમના માટે પ્રચાર કરુ. હું રાજનીતિથી બહારની વ્યકિત છું. રાજનીતિ તેમનુ અને સિનેમા મારુ નામ કરે છે. મારી કોઇ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પિતા મારું પ્રમોશન નથી કરતા. આ જ રીતે તેઓ ચૂંટણી લડી રહ્યા છે, તો હું કામ પ્રચાર કરું.''
સોનાક્ષી સિન્હાએ કહ્યું કે ''બોલિવુડ સ્ટાર્સ દ્વારા કોઈ રાજનૈતિક નેતાએ સપોર્ટ કરવાની વાત કરીએ તો તે પહેલાથી જ થતુ આવ્યુ છે. હંમેશા કોઇને કોઇ એકબીજને સપોર્ટ કરે છે. જોકે આ વખતે લોકો નેતાનો વિરોધ પણ કરી રહ્યા છે, તો તે પાછળનું કારણ જાણુ છું. મારુ માનવુ છે કે છેલ્લા 5 વર્ષોમાં કેટલીક એવી બાબતો એવી સામે આવી છે, જે લોકોને ગમી નથી.''
‘કલંક’ને લઈને હું પહેલાથી જ ઉત્સાહિત હતી, કારણ કે આ ફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલી છુ. આ સિવાય ફિલ્મ માટે તૈયાર કરેલા સેટ્સ, લૂક અને લોકેશન પણ ખાસ હતા. ફિલ્મમાં અમે અત્યાર સુધી કરિયરના અઘરા રોલ પ્લે કર્યા છે. આટલી મહેનત પછી પોતાાને સ્ક્રીન પર જોવાનો અનુભવ અલગ છે.
સોનાક્ષીએ કહ્યું કે ''જો ફિલ્મ વધારે સારી બને તે માટે ડાયરેક્ટર કોઈનો રોલ નાનો કરી દે તેમાં કોઈ ખોટી વાત નથી. પર્સનલ રોલ જોવાના બદલે ફિલ્મ જોવી જોઇએ. જો પ્રોડ્યૂસરે કોઈનો રોલ કાપવો પડ્યો અથવા તો નાનો કરવો પડ્યો તો કોઇ તકલીફની વાત નથી. મને મારી સાથે કંઇક આવુ થયું હોય તેમ લાગતુ નથી.''