કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવનાર Zomatoના ડિલિવરી બોય માટે મદદની માંગ થવા લાગી છે. તે દરમિયાન તેમના પુત્ર દ્વારા ન્યાય અને મદદ માટે એક પત્ર વાયરલ થયો છે.
પિતાએ કાર એક્સિડેન્ટમાં ગુમાવ્યો જીવ
પુત્રએ લેટર લાખીને કરી ન્યાયની માંગ
દિલ્હીવાસીઓ મૃતકના પરિવારને કરી મદદ
પુત્રના હાથે લખેલા પત્રની આ છેલ્લી પંક્તિઓ છે. ઉપર 9 લીટીઓ એક પીડા છે. પિતાને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે. પિતાને કચડી નાખનાર નશામાં ધૂત ઈન્સ્પેક્ટર પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ઝોમેટોના કમનસીબ ડિલિવરી બોયના પુત્ર પિતાનો જીવ ગુમાવ્યો છે. તેના પિતાએ પીધેલા પોલીસકર્મીના કારથી જીવ ગુમાવ્યો. તેથી ટેના પિતાને ન્યાય મળે તે મટે તેણે આ પત્ર તેની નોટબુકમાં લખ્યો છે.
પુત્રએ લેટર લાખીને કરી ન્યાયની માંગ
લેટર સાથે દિવ્યાંશની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પત્રમાં દિવ્યાંશે લખ્યું છે કે, 'મને મારા પિતા માટે ન્યાય જોઈએ છે. દારૂના નશામાં બ્રિઝા કાર ચલાવી રહેલા પોલીસકર્મીએ મારા પિતાને ટક્કર મારી હતી. આ મામલે કાર્યવાહી કરો. મેહરબાની કરી ને મદદ કરો હું સલિલ ત્રિપાઠીનો પુત્ર છું. તે હોટલનો મેનેજર હતો. કોવિડને કારણે તેણે ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરવું પડ્યું. તેના પિતા જંગ બહાદુરે કોવિડને કારણે જીવ ગુમાવ્યો હતો. તો કૃપા કરીને મારા પરિવારને ન્યાય માટે મદદ કરો. ત્રીજા ધોરણમાં ભણતા બાળકે જે મનોબળ અને હિંમતથી આ શબ્દો લખ્યા હશે, તેની કલ્પનાને ભાવુક કરી દે છે.
આરોપી પોલીસકર્મીને 3 દિવસમાં જામીન મળ્યા
નશાની હાલતમાં સલીલને કચડી નાખવાનો આરોપી પોલીસ કર્મચારીને ત્રણ દિવસમાં જામીન મળી ગયા. પરિવારજનોનો આરોપ છે કે તેઓ તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સલીલના કાકા કહે છે કે અમે રાજકારણીઓ અને દિલ્હી પોલીસ અધિકારીઓને પણ ન્યાય માટે પત્ર લખી રહ્યા છીએ. અમે CM કેજરીવાલને મળવા માંગીએ છીએ. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કોન્સ્ટેબલના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, તેથી તે જાણી શકાશે કે તે નશામાં હતો કે નહીં.
બધું ગુમાવ્યું, પણ દીકરા માટેના જોયેલા સપના સલિલની હિંમત હતી
દરેક પિતાની જેમ સલીલે પણ પુત્ર દિવ્યાંશ માટે ઘણા સપના જોયા હતા. કોરોનાએ તેમને તોડી નાખ્યા. બધું ગુમાવ્યા પછી પણ આ સપનાઓએ તેની આશા જીવંત રાખી. પત્ની સુચેતા કહે છે કે સલિલ દિવ્યાંશને સારું ભવિષ્ય આપવા માંગતો હતો. તે કહે છે, “અમે દિવ્યાંશને 2016માં રોહિણીની એક સ્કૂલમાં એડમિશન અપાવ્યું. પરંતુ કોરોનામાં તેની નોકરી ગુમાવ્યા પછી, શાળાએ તેના પર ઘણું દબાણ કર્યું. 8 હજાર રૂપિયા ફી તરીકે જમા કરાવવાના હતા. શાળા દ્વારા પેડિંગ ફી ભરવા માટે સતત રીમાઇન્ડર મોકલવામાં આવતા હતા. મજબૂરીમાં અમારે દિવ્યાંશને બીજી શાળામાં દાખલ કરાવવો પડ્યો. અંકલ એસ.બી. ત્રિપાઠી પણ કહે છે કે સલિલ તેમના પુત્રને લઈને ખૂબ જ ચિંતિત હતા. તે કહે છે, 'પોતાના પિતાને કોરોનાથી ગુમાવ્યા બાદ અને નોકરી ગુમાવ્યા બાદ તે ખૂબ જ હતાશ હતો. તેણે ફૂડ ડિલિવરીનું કામ શરૂ કર્યું. આ દરમિયાન હોટેલે ફરીથી કામ માટે બોલાવ્યા હતા, પરંતુ નોકરી પછી જતી રહી હતી. શનિવારે તે ફૂડ ડિલિવરી માટે બહાર ગયો હતો, પરંતુ પહેલા જ દિવસે તેનો દર્દનાક અકસ્માત થયો હતો.
દિલ્હીવાસીઓ બતાવ્યું પોતાનું દિલ, સલિલના પરિવારને મળી મદદ
દુર્ભાગ્યની આ દર્દનાક કહાની દરેકને ભાવુક કરી રહી છે. દિલ્હીવાસીઓ પોતાનું દિલ બતાવી રહ્યા છે. સલીલના પરિવાર સુધી મદદ પહોંચવા લાગી છે. સલીલના કાકા જણાવે છે કે મંગળવારે રાત્રે 9.15 વાગ્યા સુધી સુચેતાના ખાતામાં 2 લાખ સુધીની મદદ આવી ગઈ હતી. સલીલના પિતરાઈ ભાઈ રાહુલના કહેવા પ્રમાણે, કેટલાક લોકોની મદદ માટે કોલ પણ આવી રહ્યા છે. કેટલાક ક્રાઉડ ફંડિંગ દ્વારા નાણાં એકત્ર કરવાની ઓફર કરી રહ્યા છે. ત્રિપાઠીનું કહેવું છે કે મદદમાંથી જે પણ પૈસા મળશે તે દિવ્યાંશના અભ્યાસમાં લગાવશે. સલિલ તેને કંઈક બનાવવા માંગતો હતો. અમે તેનું સપનું પૂરું કરીશું.