લોક જનશક્તિ પાર્ટી (LJP) માં ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે બુધવારે સાંસદ ચિરાગ પાસવાને પોતાની જાતને સિંહપુત્ર ગણાવીને કાકા સામે લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી.
કાકા પશુપતિ પારસની સામે ચિરાગ પાસવાનની જાહેરાત
કાકા પશુપતિની જેમ રણછોડ નથી-ચિરાગ
હું સિંહનો પુત્ર છું અને લડાઈ હજુ ચાલુ છે
કાયદાથી માંડીને દરેક પ્રકારની લડાઈ માટે તૈયાર-ચિરાગ
ચિરાગ પાસવાને કહ્યું કે થોડા દિવસથી મારી તબિયત ખરાબ હતી તેથી હું બહાર નીકળી શકતો નહોતો. હવે ફક્ત એક પ્રેસ કોન્ફરન્સથી કંઈ નહીં વળે, લડાઈ લાંબી છે.
પાપાના નિધનથી મુશ્કેલી વધવા લાગી
ચિરાગ પાસવાને કહ્યું કે 8 ઓક્ટોબરે પિતાજીનું અવસાન થયું અને ત્યાર બાદ ચૂંટણી આવી ગઈ. તે ઘણો મુશ્કેલ સમય હતો. પરંતુ ચૂંટણીમાં લોકોએ અમને ઘણું સમર્થન આપ્યું. અમને 25 લાખથી વધારે વોટ મળ્યાં. ચિરાગે કહ્યું કે જેડીયુને કારણે અમે ગઠબંધનથી અલગ થયા અને એકલા હાથે ચૂંટણી લડ્યાં.
કાકાએ કહ્યું હોત તો તેમને સંસદીય દળના નેતા બનાવી દીધા હોત
ચિરાગે કહ્યું કે પાર્ટીના બંધારણ અનુસાર, ફક્ત સંસદીય દળ અને ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ સંસદીય દળના નેતાની વરણી કરી શકે છે. જો કાકા પશુપતિ પારસે કહ્યું હોત તો તેમને સંસદીય દળના નેતા બનાવી દીધા હોત. જ્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની વાત છે ત્યાં સુધી બંધારણ અનુસાર તો હજુ પણ તે પોતે અધ્યક્ષ છે.
સિંહનો પુત્ર છું, લડતો રહીશ-ચિરાગ પાસવાન
ચિરાગે કહ્યું કે હું રામવિલાસ પાસવાનનો દિકરો છું, હું સિંહનો પુત્ર છું. પહેલા પણ લડ્યો હતો અને આગળ પણ લડતો રહીશ. બિહારના લોકો અમારી સાથે છે. જેડીયુએ તરફથી ભાગલા પાડવાની કોશિશ કરાઈ રહી છે. તેમણે પહેલા પણ દલિતોના ભાગલા પાડવાની કોશિશ કરી છે.
તેણે એવું પણ કહ્યું જો કોઈને મારા નિર્ણય પર વાંધો હતો તો તે વખતે કહેવું જોઈતું હતું ને. ચૂંટણીના છ મહિના પછી વિરોધ કરવાનો શું અર્થ છે. ચિરાગે કહ્યું હુ કાકા પશપતિ પારસની જેમ રણછોડ નથી પરંતુ સિંહનો પુત્ર છું એટલે લડાઈ લડતો રહીશ.