છોરૂ થાય પણ માવતર ક માવતર ન થાય આ કહેવત તમે જરૂર થી સાંભળી હશે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં માતા અને પુત્ર વચ્ચેની તકરારે એક કરુણ ઘટનાને અંજામ આપ્યો. પુત્રએ પોતાની માતાની હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો, સળગતા મૃતદેહ સામે ઉભા રહીને ઓમ નમઃ શિવાયના જાપ પણ કર્યા.
પુત્રએ કરી દીધી માતાની હત્યા
વડાદરાના ગોત્રી વિસ્તારમાં ક્રાઇમ
દિવ્યાંગ માતાની કરી દીધી હત્યા
પુત્રએ કરી હત્યા
પોતાની કુખમાં 9 મહિના સુધી પોતાના બાળકને રાખ્યા બાદ તેનો ઉછેર કરવાનું કંઇક આવું ફળ મળશે તેવું માતાએ ક્યારે વિચાર્યું પણ નહી હોય. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગરમાં આજે એક કરુણ ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની માતાને તીક્ષ્ણ હથિયાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી એટલું જ નહીં હત્યા કાર્યા બાદ નિર્દયી પુત્રએ માતાના મૃતદેહ સળગાવી દીધો. મૃતક ભીખી બેન બારીયાના અર્ધ બળેલા મૃતદેહને કુતરાઓએ ફાડી ખાધા બાદ સમગ્ર ઘટનાની જાણ પાડોશીઓને થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કર્યા બાદ ગોત્રી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.
દિવ્યાંગ માતા કરતી હતી ઘરકામ
મૃતક ભીખી બેનનો હત્યારો પુત્ર મૃતદેહ પાસે ઉભો રહી ઓમ નમઃ શિવાયના જાપ કરતો હતો. પોલીસે હત્યારા પુત્ર દિવ્યેશ બારીયાની કડકાઈથી પૂછપરછ કરતા તેને પોતે માતાની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. 28 વર્ષીય દિવ્યેશ બારીયાના પિતાનુ 6 વર્ષ પહેલા અવસાન થયુ હતુ. ત્યારથી જ તે તેની માતા ભીખીબેન સાથે રહેતો હતો. વર્ષ 2011માં ભીખીબેનનો અકસ્માત થયો હતો. જેમાં તેમનો એક હાથ અને પગ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારથી જ માતા પુત્રના સહારે જીવી રહીં હતી. દિવ્યેશ થોડા સમય અગાઉ ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. જોકે નશો કરવાની લતે ચઢેલા દિવ્યેશની નોકરી છુટી જતા તે છુટ્ટક કામ કરવા લાગ્યો હતો. તેવામાં સોમવારે મોડી રાત્રે દિવ્યેશએ કાચાના ટુકડા વડે તેની દિવ્યાંગ માતા ઉપર છાતી અને પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
પોલિસને યોગ્ય જવાબ નથી આપી રહ્યો
આ ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે માતાની આ રીતે ઘાતકી હત્યા કરવા પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. હત્યારો દિવ્યેશ નશાની લતે ચઢ્યો હોવાથી વારંવાર આ ક્રૃત્ય કરવા પાછળ પોલીસને ઉડાઉ જવાબ આપતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.