મુંબઈના વિલે પાર્લેમાં એક જમાઈએ પોતાની સાસુની હત્યા કરી તેના ગુપ્તાંગોમાં વાંસ નાંખી દીધું.
જમાઈએ પોતાની સાસુની હત્યા કરી
હત્યા બાદ તેના ગુપ્તાંગોમાં વાંસ નાંખી દીધું
પોલીસે આઈપીસીની કલમ 377 હેઠળ કેસ નોંધ્યો
જમાઈએ સાસુની હત્યા કરી તેના ગુપ્તાંગોમાં વાંસ નાંખ્યું
મુંબઈના વિલે પાર્લેમાં એક ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં જમાઈએ પોતાની સાસુની હત્યા કરી તેના ગુપ્તાંગોમાં વાંસ નાંખી દીધું. આરોપી જમાઈને 14 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાનુંસાર, ‘તેણે સાસુના માથા પર ટાઈલ્સથી હુંમલો કરી અને ચાકુથી વાર કર્યા બાદ આરોપીએ તેમના પ્રાઈવેટ પાર્ટમાં એક વાંસ નાંખી દીધું હતુ. અને તેમના એક આંતરિક અંગને બહાર કાઢ્યું હતુ. અમે 6 દિવસ પહેલા આઈપીસીની કલમ 377(સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે.
ત્રણ વર્ષથી ચેનસ્નેચિંગની ઘટનામાં જેલમાં બંધ હતો જમાઈ
ઘટના વિલે પાર્લે (પૂર્વ)ની છે. જ્યાં મહિલા પોતાની દીકરી સાથે રહેતી હતી. ત્રણ વર્ષથી ચેનસ્નેચિંગની ઘટનામાં પહેલા જેલમાં બંધ આરોપીને 1 સપ્ટેમ્બરે મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ આરોપી પોતાની પત્નીને મળવા ગયો અને તેણે જોયું કે તેણે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા છે અને તે ગર્ભવતી છે.
આરોપીને પુણેથી ઝડપી લેવામાં આવ્યો હતો
આ આરોપીએ પોતાની પત્નીને નવા પતિને છોડવા માટે કહ્યુ. જો કે તે નેક્સ ડે તેને મળવા ગયો તો તે એ જગ્યાએથી ચાલી ગઈ હતી. તેણે પોતાની સાસુ પાસેથી પત્નીનું નવું સરનામુ જાણવાનો પ્રયાસ કર્યો. જોકે સાસુએ તને જાણકારી આપવાથી ઈન્કાર કરી દીધો. આરોપીએ પોતાની સાસુ સાથે મારપીટ કરી અને તેને અનેક વાર ચાકુથી વાર કર્યા હતા. તેના એક દિવસ બાદ તેને પુણેથી ઝડપી લેવામાં આવ્યો હતો.