દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછોળો નોંધાઇ રહ્યો છે. તો દર્દીઓના થઇ રહેલા મોત પણ ચિંતાજનક છે, બીજી તરફ સ્માશાનમાં ચિતા પણ મળતી નથી અને શબને લઈને જવા માટે એમ્બ્યુલન્સ પણ મળી રહી નથી ત્યારે એક ચોંકાવનારી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો
દીકરાને પિતા માટે એમ્બ્યુલન્સ ન મળતા શબને કાર પર બાંધી સ્મશાને પહોંચ્યો દીકરો
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસવીર
મળતી જાણકારી પ્રમાણે, આગ્રામાં શનિવારે એમ્બ્યુલન્સ ન મળતા પિતાના શબને કારની ઉપર બાંધીને દીકરો સ્મશાન પહોંચ્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
પિતાના શબને કાર પર બાંધીને દીકરો પહોંચ્યો સ્માશાન
શનિવારે જયપુર હાઉસમાં રહેતા મોહિતને આકરી મહેનત બાદ પિતાના શબને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી નહોંતી. જ્યારે કોઇ રસ્તો નહીં સૂઝતા, મોહિતે પિતાના શબને કાર ઉપર બાંધ્યું અને અગ્નિ સંસ્કાર માટે સ્માશાન ઘાટ લઈને પહોંચ્યો હતો, ત્યારબાદ અંતિમ સંસ્કારના સમયે પિતાના શબને કારની છત પરથી નીચે ઉતાર્યું હતું. સ્મશાન ઘાટ પર પોતાના શબ લઇને પહોંચેલા પરિવારજનોએ આ નજારો જોયો હતો તેમની આંખો ભરાઇ આવી હતી.
સ્મશાનમાં 20 કલાકનું વેઇટિંગ
તાજગંજ સ્મશાનસ્થળમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહની ચીમનીઓ દરરોજ 20 કલાક રોકાયા વિના ધૂમાડો કાઢી રહી છે. શનિવારે 50 મૃતદેહો પહોંચ્યા હતા. જેમ જેમ સંખ્યામાં વધારો થયો, તેમ અંતિમ સંસ્કાર મૃતદેહોની રાહ જોતા હતા. સાંજ સુધી અંતિમ સંસ્કારની વેઇટિંગ છ કલાક સુધીનું થયું હતું.
ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ આવ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના છે જેના કારણે ચિંતા વધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શનિવારે કહેવાયું છે કે કોરોનાના દૈનિક નવા કેસમાં 74.15 ટકાનો વધારો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજ્યોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 49 હજાર નવા કેસ આવ્યા છે અને સાથે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ 15 હજાર દર્દી સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 24 કલાકમાં ભારતમાં 2761 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કુલ 1 કરોડ 69 હજાર કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ 26 લાખ 74 હજાર કોરોના એક્ટિવ કેસ મળી રહ્યા છે તો સાથે કુલ 1 લાખ 92 હજાર લોકોના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોના બાદ કુલ 1 કરોડ 40 લાખ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 67 હજાર નવા કેસ આવતાં સ્થિતિ વણસી છે.
કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના
મંત્રાલયે કહ્યું કે દેશમાં સામે આવેલા સંક્રમણના કુલ કેસમાં 74.15 ટકા કેસ કુલ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થઈ રહ્યો છે.