કોરોનાવાયરસે લાખો લોકોનો જીંદગીઓ વેરવિખેર કરી દીધી છે. દરરોજ કોઈને કોઈ એક ખરાબ સમાચાર મળે છે. આવી જ બીજી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક પુત્ર જેણે પોતાની બીમાર માતા સાથે સમય ગાળવા દુબઇમાં નોકરી છોડી દીધી હતી, પરંતુ નિયમો હેઠળ ક્વોરેન્ટાઈનમાં રહેતી વખતે માતાનું મોત નીપજ્યું હતું. આ ઘટના હચમચાવી દેનારી છે. દુઃખ એ કારણે પણ થયું કે ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂરો થવાનો હતો.
દુબઈથી નોકરી છોડી માતાને મળવા ભારત આવ્યો
ક્વોરેન્ટાઈન સેન્ટરમાં માતાના મોતના સમાચાર મળ્યા
દિકરો માતાના અંતિમ સંસ્કારમાં પણ ન જઈ શક્યો
છ વર્ષ પહેલાં દુબઈમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા 30 વર્ષીય આમિર ખાને કહ્યું હતું કે તેની માતાનું શનિવારે અવસાન થયું છે અને તેઓ રામપુરમાં તેમના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લઈ શકશે નહીં. તેની ક્વોરેન્ટાઇનનો સમય જલ્દી પુરો થવા જઈ રહ્યો છે. પરંતુ તેને દિલ્હીની હોટલમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટર પર જવાની મંજૂરી મળી નથી. આમિર 13 મેના રોજ ભારત પરત આવ્યો હતો.
નવી માર્ગદર્શિકા હેઠળ પણ પરવાનગી મળી નથી
રવિવારે તેની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવવાના હતા. તે જ દિવસે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સથી દેશ આવતા મુસાફરો માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરનારા મુસાફરોએ 14 દિવસની ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે. જેમાંથી સાત દિવસ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં વિતાવશે અને બાકીના સાત દિવસો તેમના ઘરે આઈસોલેશનમાં રહેશે અને તેમના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરવામાં આવશે.
આ માર્ગદર્શિકા હેઠળ એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનને પણ મંજૂરી આપી શકાય છે. જો તે સગર્ભાવસ્થા હોય, કુટુંબમાં કોઈનું મૃત્યુ થાય, ગંભીર માંદગી હોય અથવા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં માતા-પિતાને તેમને ઘરે 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન આપવામાં આવી શકે છે.
ખાને કહ્યું કે આ નવી માર્ગદર્શિકા હેઠળ તે ઘરે જઈ શકે છે, પરંતુ તેને મંજૂરી મળી નથી. તેમણે કહ્યું, 'મેં અધિકારીઓને સમાચાર બતાવ્યા કે માર્ગદર્શિકા બદલાઈ ગઈ છે અને હવે હું ઘરે જઈ શકું છું અને હું બચાવના તમામ પગલાં નિયમો અનુસાર કરીશ.... હું મારે ટેસ્ટ કરાવવા તૈયાર હતો પણ મને કોઈ મદદ મળી નથી.
આમિરે જણાવ્યું હતું કે તેની માતાને ગયા વર્ષે નવેમ્બરમાં લીવર સિરોસિસ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તે માર્ચમાં જ ભારત આવવા જઇ રહ્યો હતો. તેમણે એક ફોન ઇન્ટરવ્યુમાં કહ્યું, 'અમે વાયરસ સાથે જીવતા શીખીશું પરંતુ જે ભાવનાત્મક નુકસાન થયું છે તે હંમેશા રહેશે. મેં મારા બે મહિના એ વિચારીને પસાર કર્યા કે મારે મારી માતાને મળવા જવું જોઇએ મે બધું દાવ પર લગાડ્યું કારણ કે મારે આ કરવાનું જ હતું.
આમિર ખૂબ જ મુશ્કેલીથી ઘરે આવી શક્યો
આમિરની સામે નોકરીમાં થોડું દબાણ હતું. કોરોનાવાયરસ અને કડક ક્વોરેન્ટાઈનના નિયમો તેના માટે એડચણ હતા. તેણે કહ્યું, 'મે બે મહિના સુધી સંઘર્ષ કર્યો. એમ્બેસીના અનેક વાર ધક્કા ખાધા જેથી હું ઘરે આવી શકું. આખરે મને 13 મેના રોજ દુબઇથી ભારત આવતી ફ્લાઇટમાં સ્થાન મળ્યું.’
આમિરે કહ્યું હતું કે માર્ચમાં લોકડાઉન અને પ્રતિબંધ હોવાને કારણે તેને ટિકિટ મળી નથી. પરંતુ દૂતાવાસના અનેક ધક્કા બાદ જ્યારે તેને ટિકિટ મળી ત્યારે તેને તેના વર્કપ્લેસમાં કહેવામાં આવ્યું કે તેમને ફક્ત 20 દિવસની રજા મળશે. તેણે કહ્યું, 'હું તેમની પ્રતિક્રિયા જોઈને હેરાન થઈ ગયો. મેં તેમને કહ્યું કે મારે 14-દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે અને તે પછી મારી પાસે વધારે સમય બાકી બચશે નહીં. મારા બોસને ખબર નહોતી કે ફ્લાઇટ સેવાઓ ક્યારે શરૂ થશે અને ક્યારે હું પાછો ફરીશ તે હું પણ નહોતો જાણતો. આવી સ્થિતિમાં મેં મારી નોકરી છોડી અને માતા સાથે થોડા મહિના ગાળવા ઘરે આવવાનું નક્કી કર્યું. મને ખ્યાલ નહોતો કે તેની પાસે બહુ સમય બાકી નથી.
ભારત આવ્યા ત્યારે તેને એક ખાનગી હોટલમાં બનેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તે પૈસા ચૂકવી રોકાઈ રહ્યો છે.
આમિરે લગભગ રડતાં કહ્યું, 'આઠમાં દિવસે મેં એસડીએમ ઓફિસના પ્રતિનિધિને કહ્યું કે મારી માતાની મુલાકાત લેવી ખૂબ જ જરુરી છે. તેઓએ મને કહ્યું કે તેમને વિશેષ પરવાનગીની જરૂર રહેશે. થોડા દિવસો હજુ વીતી જાય અને પછી મને ખબર પડી કે મારી માતા ગુજરી ગઈ છે. મેં અધિકારીઓને વિનંતી કરી કે તેને તેની માતાની અંતિમ વિધિમાં જવા દો પરંતુ મને જવા દેવા નથી. '
સત્તાવાર આંકડા મુજબ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા સરકારના અભિયાન ‘વંદે ભારત મિશન’ અંતર્ગત 98 દેશોના 2.59 લાખ લોકોએ નામ નોંધાવ્યા છે.