કહેવાય છે કે બાપાનું બારમું અને દીકરીની વિદાયની એક જ વખત તક મળે છે. આવી જ એક ઘટના અમદાવાદ ખાતે બની હતી. અમદાવાદની સાબરતી જેલમાં રહેલા એક કેદીનું ટીબીની બીમારીને કારણે મોત થતાં જેલના વહીવટી તંત્રને મૃતકના પરિવારજનોને આ ઘટના અંગેની જાણ કરતા સામેથી જવાબ આવ્યો કે, સાહેબ અમારા ઘરમાં ખાવાનું નથી તો આવીએ કેવી રીતે ?
અમદાવાદમાં બની અનોખી ઘટના
પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ગીર-સોમનાથના યુવક પાસે પૈસા નહોંતા
ગામના સરપંચે પૈસા ઉઘરાવી પહોંચાડ્યો અમદાવાદ
મળતી માહિતી અનુસાર, રાજકોટની જેલમાં સજા કાપી રહેલા એક કેદીને ટીબી હોવાથી તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જે તેનું 31 માર્ચના રોજ માંદગીની કારણે નિધન થતાં અધિકારીએ પરિવારને અમદાવાદ બોલાવ્યો હતો પરંતુ પૈસા ન હોવાની વાત પરિવારજનોએ કરતા મામલો ગામના સરપંચ સુધી પહોંચ્યો હતો.
નવજીવન ટ્રસ્ટે કરી મદદ
સદનસીબે ગામના સરપંચે પૈસા ભેગા કરી આપ્યા અને ગામના મુસ્લીમ આગેવાને પોતાની કાર આપવાની તૈયારી દર્શાવી પરંતુ કોઇપણ ડ્રાઇવર અમદાવાદ આવવા તૈયાર ન થતાં સાબરમતી જેલના એક અધિકારીએ નવજીનવ ટ્રસ્ટનો સંપર્ક કરાવી આવતા આ ટ્રસ્ટે મૃતકના પરિવારજનોની મદદ કરી હતી.
અસ્થિ લઇ જવાની વાત આવતા ફરી પરિવારે ગળગળા સ્વરે કહ્યું સાહેબ પૈસા તો નથી ક્યાં પધરાવવા જઇશું
સરવાળે ગીર સફારીનો એક ડ્રાઇવર મૃતકનો દીકરો, ભાઇ અને જમાઇને લઇને અમદાવાદ પહોંચતા દુધેશ્વર ખાતે મૃતકની અંતિમ વિધી કરવામાં આવી હતી. જો કે, બન્ચું એવું કે, સ્મશાનના સ્ટાફે પૂછ્યું, અસ્થિ લઈ જશોને? ત્યારે દીકરા ફરી ગળગળા સ્વરે કહ્યું, અમારી પાસે તો પૈસા છે નહીં ક્યાં પધરાવવા જઇશું.