30 મે 2022 સોમવારના દિવસે એકસાથે ત્રણ તહેવાર હોવાના કારણે આ દિવસનું મહત્વ વધારે હોય છે. આ દિવસે પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વટ સાવિત્રી વ્રત રાખશે. આ દિવસે સોમવતી અમાસનો પણ શુભ સંયોગ બની રહ્યો છે.
ખાસ છે આ વર્ષની સોમવતી અમાસ
એક જ દિવસે બનશે છ શુભ સંયોગ
આ રાશિના જાતકોનો થશે ભાગ્યોદય
દેવી-દેવતાઓની કૃપા મેળવવા માટે આ દિવસ શ્રેષ્ઠ
શનિદોષથી પીડિત જાતકો શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ જયંતીના દિવસે વિશેષ ઉપાય કરશે. સોમવારના દિવસે અમાસ હોવાના કારણે સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે ગરીબોને દાન આપવાથી પિતૃ દેવતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એક જ દિવસમાં અનેક દેવી-દેવતાઓની કૃપા મેળવવા માટે આ દિવસને ખૂબ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
સોમવતી અમાસ પર ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ
જ્યોતિષાચાર્યો મુજબ, સોમવારે સર્વાર્થ સિદ્ધી યોગમાં અમાસ તિથિ આરંભ થશે. આ સિવાય આ દિવસે બુધાદિત્ય, વર્ધમાન, સુકર્મા અને કેદાર નામનો પણ શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે વૃષભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ નામનો રાજયોગ બની રહ્યો છે. 30 મેના રોજ એકસાથે 6 શુભ યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. આ દિવસે શનિદેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન રહેશે. દેવગુરૂ બૃહસ્પતિ પણ પોતાની રાશિ મીનમાં રહેશે. આ બંને ગ્રહો પોતાની રાશિમાં હોવાથી કુંભ અને મીન રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઇ શકે છે.
ચંદ્ર ઔષધિ, ધન અને મનનો કારક
આ વર્ષે સોમવતી અમાસ 30 મે 2022ના રોજ સોમવારે આવી રહી છે. સોમવારનો દિવસ ચંદ્રમાનો હોય છે. ચંદ્ર ઔષધિ, ધન અને મનનો કારક માનવામાં આવ્યો છે. તો અમાસની તિથિ પિતૃઓની માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ, પિતૃઓનો વાસ ચંદ્રમાની પાછળના ભાગમાં હોય છે. તેથી પિતૃઓના આત્માની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ વગેરે ફરજીયાત કરવુ જોઈએ. આ દિવસે ચંદ્ર ઉચ્ચ રાશિ વૃષભમાં હોવાને કારણે સારું ફળ આપશે. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રનો સૂર્ય અને ચંદ્રની સાથે મિત્રતાનો ભાવ છે. ગ્રહોની સ્થિતિથી ધારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.