બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે સોમપુરા સમાજનો વિરોધ, બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવાનો આક્ષેપ
Last Updated: 10:45 PM, 24 July 2024
સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવતા હોવાને લઈ સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો છે. ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવા આજે સવારથી સોમપુરા તીર્થ પુરોહિતો ધરણાં પર બેસી ગયા હતા. ત્યાંથી તેમને પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સોમનાથ ટ્ર્સ્ટ સામે સોમપુરા સમાજનો વિરોધ
ADVERTISEMENT
પોલીસ સ્ટેશને તેમના દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનેતા હીરા જોટવાએ પોલીસ સ્ટેશનમાં તીર્થ પુરોહિતોની મુલાકાત દરમિયાન આજના દિવસને સોમનાથ માટે કલંકિત દિવસ ગણાવ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે
આ પણ વાંચો: રાજ્યના 222 તાલુકામાં મેઘ મહેર, બોરસદમાં સૌથી વધુ 14 ઈંચ, જુઓ તમારા વિસ્તારમાં કેટલો
'યોગેન્દ્ર દેસાઈ હાય હાય'ના નારા લગાવ્યા હતા
જેનો કોઈ ઉકેલ ના આવતાં આજે સવારથી મંદિર પરિષદની બહાર સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતો દ્વારા ઉપવાસ છાવણીમાં બેસી જઈ ધરણાં-ઉપવાસ શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. ટ્રસ્ટના સેક્રેટરી 'યોગેન્દ્ર દેસાઈ હાય હાય'ના નારા લગાવ્યા હતા, જેથી પોલીસ સ્ટાફ દ્વારા તીર્થ પુરોહિતોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.