સોમનાથ ટ્રસ્ટે પ્રવાસીઓ માટે અતિથિ ગૃહોના ભાડામાં ઘટાડો કર્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી, સાગરદર્શન અને માહેશ્વરી અતિથિ ગૃહોમાં યાત્રિકોને 15થી 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટનો નવતર પ્રયોગ
પ્રવાસનને ધમધમતું કરવા પ્રયાસ
ટ્રસ્ટના ગેસ્ટ હાઉસોમાં ડિસ્કાઉન્ટની યોજના
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને આવતા યાત્રિકો માટે ખુશીના સમાચાર છે. સોમનાથ ટ્રસ્ટે અતિથિ ગૃહોના ભાડામાં ઘટાડો કર્યો છે. લીલાવતી, સાગરદર્શન અને માહેશ્વરી અતિથિ ગૃહોમાં યાત્રિકોને 15થી 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2021 સુધી આપવામાં આવશે. કોરોનાની મહામારીને કારણે સ્થાનિકોને રોજગારી મળે અને યાત્રિકોને પણ ભાડામાં લાભ મળે તેવો સોમનાથ ટ્રસ્ટનો આશય.
વર્તમાન કોરોનાની મહામારી વચ્ચે નાતાલ વેકેશનમાં સોમનાથતીર્થ ફરી ધમધમે તેમજ સ્થાનીક રોજગારી વધે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા યાત્રીકોને અતિથિ ગૃહોનાં ભાડામાં 15થી 25 ટકા રાહત જાહેર કરી છે. 15 ડીસેમ્બરથી 31 જાન્યુઆરી 2021 સુધી તમામ અતિથિ ગૃહોમાં ડિસ્કાઉન્ટ અપાશે. 600થી 800 રૂપિયામાં અધ્યતન રૂમની સુવિધા યાત્રિકોને મળશે. કોરોનાં મહામારી ચાલુ છે ત્યારે પ્રવાસન સ્થળો સુમસામ ભાસે છે. આ સ્થિતિમાં સૌથી મોટી સમસ્યા છે. સ્થાનીક રોજગારીની. અનેક નાના મોટા ધંધાર્થીઓ નિરાશ થયા છે. આગામી નાતાલની રજાઓમાં સોમનાથતીર્થ ફરી ધમધમે સાથે સરકારની ગાઈડલાઈન અને આરોગ્ય અંગેનાં નિયમો સાથે સૌ ટુરીસ્ટો સોમનાથ આવે જેથી સ્થાનીકોને રોજગારીમાં મદદ મળે આ હેતુથી સોમનાથ ટ્રસ્ટ દ્રારા અધ્યતન અને લક્ઝરી એવા સાગર દર્શન, લીલાવતી તેમજ માહેશ્વરી ગેસ્ટ હાઉસ સહીતમાં 15થી 25 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. જે આગામી તા.15 ડીસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી ભાવિકોને લાભ અપાશે.
આમ, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાની મહામારીની વચ્ચે સોમનાથમાં પ્રવાસનને વેગ મળે અને સ્થાનિકોને રોજગારીની સાથે યાત્રિકોને પણ લાભ મળી રહે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.