આવતી કાલથી સોમનાથ મહાદેવનાં દર્શન માટે આવતા ભક્તો માટે ફરિજયાત પાસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ વેરાવળના સ્થાનિક લોકોને પણ લાગુ પડશે.
www.somnath.org પર મુકાયેલ દર્શન બુકિંગ માટેની લિંક ખોલીને ભક્તો નિર્ધારિત દર્શન સ્લોટ અનુસાર તારીખ અને સમય પસંદ કરીને દર્શન માટે બુકિંગ કરાવી પાસ મેળવી શકશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વર્ષ ર૦૧૯માં ૧૮ લાખ શિવભક્તોએ સોમનાથ દાદાનાં દર્શન કર્યાં હતાં. સામાન્ય રીતે દરરોજ ૭૦થી ૮૦ હજાર દર્શનાર્થીઓ આવે છે, પરંતુ કોરોનાના કારણે હવે ફક્ત ૧૦,૦૦૦ ભક્તો જ દર્શન કરી શકશે.
આવતી કાલથી ૧૦ વર્ષથી ઓછી ઉંંમરનાં બાળકો અને ૬પ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મંદિરમાં ઘંટ વગાડવા અને રેલિંગ અથવા બાંધકામના કોઈ પણ ભાગને સ્પર્શ કરવાનું પ્રતિબંધિત છે.
પ્રવેશદ્વાર પર બે સેનિટાઇઝર કેબિન-ટનલ મૂકવામાં આવી છે, તેમાંથી દરેકે પસાર થવું આવશ્યક છે. આરોગ્ય વિભાગની એક ટીમ મંદિર નજીક તહેનાત રહેશે.