12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરમાં પરંપરાગત કાર્તિકી પૂનમનો ચાલુ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.
સોમનાથ મંદિરમાં આ વર્ષે પણ કાર્તિકી પૂનમનો મેળો રદ્દ
કોરોના મહામારીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
સોમનાથ ટ્રસ્ટે કરી જાહેરાત
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ નહીંવત છે પરંતુ ત્રીજી લહેરના ભણકારાને ધ્યાનમાં રાખીને તંત્ર સાબદુ થયું છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 1955થી દરવર્ષે યોજાતા કાર્તિકી પૂનમનો મેળો સતત બીજા વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
1955માં મેળાની થઈ હતી શરૂઆત
ઉલ્લેખનીય છે કે,1955માં સોમનાથ ટ્રસ્ટના તત્કાલિન અધ્યક્ષ મોરારજી દેસાીએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી આ મેળો કાર્તિકી પૂર્ણિમાથી 5 દિવસ માટે યોજાય છે. જેમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાને શીશ ઝૂકાવે છે અને મેળાનો આનંદ માણે છે.