ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસને લઇને સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાના કારણે વધતી જતી ભીડને લઇને ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમ ફરજિયાત કરી દીધી છે. બહારથી આવતા ભક્તો માટે ઓનલાઇન પાસ બુકિંગ કરાવાનું રહેશે.
આજથી સોમનાથ મંદિરમાં દર્શન માટે પાસ સિસ્ટમ
બહારથી આવતા ભક્તો માટે ઓનલાઇન બુકિંગ ફરજિયાત
કોરોના અને વધતી જતી ભીડને લઇ ટ્રસ્ટ દ્વારા નિર્ણય
પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની વધતી ભીડને ધ્યાનમાં લઇ ટ્રસ્ટ દ્વારા પાસ સિસ્ટમનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બહારથી આતા ભક્તો માટે ઓનલાઇન બુકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.
આમ સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ ધરાવતું પ્રથમ મંદિર બન્યું છે. ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ દર્શનના સમય મુજબ દર કલાકે 200 પાસ ઇશ્યુ થશે. સોમનાથ મંદિરની આરતીમાં કોઇને પ્રવેશ મળશે નહીં.
ઓનલાઇન પાસ માટે આ રીતે કરી શકાશે બુકિંગ
www.somnath.org પર મુકાયેલ દર્શન બુકિંગ માટેની લિંક ખોલીને ભક્તો નિર્ધારિત દર્શન સ્લોટ અનુસાર તારીખ અને સમય પસંદ કરીને દર્શન માટે બુકિંગ કરાવી પાસ મેળવી શકશે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વર્ષ ર૦૧૯માં ૧૮ લાખ શિવભક્તોએ સોમનાથ દાદાનાં દર્શન કર્યાં હતાં. સામાન્ય રીતે દરરોજ ૭૦થી ૮૦ હજાર દર્શનાર્થીઓ આવે છે, પરંતુ કોરોનાના કારણે હવે ફક્ત ૧૦,૦૦૦ ભક્તો જ દર્શન કરી શકશે.
મંદિરમાં આ લોકોને પ્રવેશ મળશે નહીં
આવતી કાલથી ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને ૬પ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મંદિરમાં ઘંટ વગાડવા અને રેલિંગ અથવા બાંધકામના કોઈ પણ ભાગને સ્પર્શ કરવાનું પ્રતિબંધિત છે.
આરોગ્ય વિભાગની ટીમ રહેશે તૈનાત
પ્રવેશદ્વાર પર બે સેનિટાઇઝર કેબિન-ટનલ મૂકવામાં આવી છે, તેમાંથી દરેકે પસાર થવું આવશ્યક છે. આરોગ્ય વિભાગની એક ટીમ મંદિર નજીક તહેનાત રહેશે.