આજે સાંજે 6 વાગ્યે સોમનાથ મંદિર ટ્ર્સ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા હતા. વધુ એક 1 વર્ષ માટે કેશુભાઇ પટેલને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણીએ બેઠકમાં ચર્ચા કરી હતી.
આજે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી
PM મોદી, લાલકૃષ્ણ અડવાણી છે સોમનાથ મંદિર ટ્રસ્ટના સદસ્ય
સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેશુભાઇ પટેલ યથાવત્
અડવાણી, પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ત્રણેય નેતાઓ સોમનાથની બેઠકમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, સોમનાથ મંદિર ટ્રસ્ટ 8 સભ્યોના ટ્રસ્ટીઓનું બોર્ડ છે. હાલમાં તેના 7 સભ્યો છે. આ સાત સભ્યોમાં ટ્રસ્ટની વ્યક્તિગત ક્ષમતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, હર્ષવર્ધન નિયોટિયા, પી.કે. લહેરી અને જી.ડી.પરમાર વગેરેનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ કેશુભાઇ પટેલ છે. ત્યારે હવે આજની આ બેઠકમાં ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા.
સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે કેશુભાઇ પટેલ યથાવત્
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ઓનલાઈન બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટી PM મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાયા હતા. આગામી એક વર્ષ માટે ટ્રસ્ટના અધ્યક્ષ પદે ફરી વધુ એકવાર કેશુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી કેશુભાઈ પટેલ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. તો ફરી એક વર્ષ માટે સર્વાનુમતે કેશુભાઈ પટેલની ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.
બીજી તરફ ટ્રસ્ટની આવક અને અસ્કાયમતમાં નોંધપાત્ર વધારા સાથે 321.09 કરોડ થઈ છે. ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી અંતર્ગત કરાયેલ 2.62 કરોડના ખર્ચને બહાલી અપાઈ છે. ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા અને ખાસ ગોલોકધામ તીર્થના વિકાસ માટે આયોજન કરાયું છે.
સોમનાથ મહાદેવ મંદિરના તમામ નિર્ણય ટ્રસ્ટી મંડળ કરે છે. કેશુભાઈ પટેલને વધારે એક વખત અધ્યક્ષ તરીકે ચૂંટી કઢાયા એક વર્ષ માટે ફરી કેશુભાઈની વરણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એલ.કે. અડવાણી સહિતના નેતાઓ પણ છે.
બાબરી કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ અડવાણી બેઠકમાં જોડાયા
બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં 28 વર્ષ પછી હવે નિર્ણય આવ્યો છે. લખનઉમાં CBIની સ્પેશ્યિલ કોર્ટના જજ એસકે યાદવે 2000 પાનાનો નિર્ણય આપ્યો છે. જેમાં જજ એસ.કે યાદવે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. ત્યારે હવે આ કેસમાંથી છુટ્યા બાદ હવે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં જોડાયા.