મહાદેવના ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે ઘેર બેઠા સોમનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકાશે.
સોમનાથ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફતે મોકલાશે
પી.કે.લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો
ભાવિકો ઘરે બેઠા પ્રભુનો પ્રસાદ મેળવી શકશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં ભક્તોમાં ખુશીની લહેર.સોમનાથ મંદીર નો પ્રસાદ આજથી પોસ્ટ વિભાગ ભાવીકોનાં ઘર સુધી પહોંચાડશે.ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ ઇ-સીસ્ટમ થી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો.
ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બે થી ત્રણ દિવસમાં પહોંચાડશે પ્રસાદ
250 રૂપિયામાં ભારતીય ડાકનાં માધ્યમ થી સમગ્ર ભારતમાં મળશે સોમનાથ મહાદેવનો પ્રસાદ.200 ગ્રામ મગજનાં લાડુ અને 200 ગ્રામ ચીક્કી ભારતનાં ગમે તે ખૂણામાં ભારતીય ડાક વિભાગ બે થી ત્રણ દિવસમાં પહોંચાડશે.
400 ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવા માં આવશે
જેને આરોગવાથી પરમ આસ્વાદની અનુભૂતિ મળે છે તેનું નામ પ્રસાદ.અને તે પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો હોય તો પછી પૂછવુજ શુ..!! જી હા..આજથી સમગ્ર દેશના કોઈપણ ખૂણે ભાવિકોને દાદા સોમનાથનાં ભક્તોને માત્ર 250/-રૂપિયા જેવી નજીવી કિંમતે 400 ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ ઘરે બેઠા ભારતીય પોષ્ટ વિભાગ દ્વારા પહોંચાડવા માં આવશે.જેના માટે કોઈપણ વ્યક્તિએ નજીકની પોષ્ટ ઓફીસનો જ સંપર્ક કરવાનો રહેશે.
સોમનાથ ટ્રસ્ટનાં નામનું રૂપિયા 250નું મનીઓર્ડર કરો અને પ્રસાદ મેળવો
સોમનાથ ટ્રસ્ટનાં નામનું રૂપિયા 250નું મનીઓર્ડર કરવાથી બે થી ત્રણ જ દિવસમાં ભાવિકોને પોતાના ઘરે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ નો પ્રસાદ મળી જશે.આ સંદર્ભે સોમનાથ ખાતે આવેલા રામ મંદિરના ઓડિટોરિયમ માં આજે સોમનાથ ટ્રસ્ટ અને પોષ્ટ વિભાગ દ્વારા કાર્યક્રમનું આતોજન કરવામાં આવ્યું હતું.સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી અને પોષ્ટ વિભાગનાં અધિકારીઓએ ઈ-સિસ્ટમ દ્વારા આ સુવિધાની શરૂઆત કરી હતી.સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ ભારતીય ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત છે.લાંબા સમય સુધી સારો રહી શકે છે.પોષ્ટ વિભાગ પણ ડાયનેમિક બન્યું છે.આથી ટૂંકા સમયમાં જ સોમનાથનાં ભક્તોને નજીવી રકમે ભારતનાં કોઈપણ સ્થળ સુધી પ્રસાદ પહોંચાડવામાં આવશે.આથી સોમનાથનાં ભક્તોમાં ખુશી વ્યાપી છે.