દેવાધિ દેવ મહાદેવ પણ રંગાયા દેશ ભક્તિના રંગમાં... સોમનાથ ખાતે મહાદેવને ત્રિરંગો શણગાર કરી અનોખી રીતે પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશ ભકતીના રંગમાં રંગાયા હતા. ભગવાન સોમનાથને દેશભક્તિના રંગે રંગાયેલા જોઇને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દર વર્ષ આજના દિવસે સોમનાથ મહાદેવને ખાસ ત્રિરંગો શ્રૃંગાર કરવામાં આવે છે. દેશભરમાં 70માં પ્રજાસતાક દિવસનો ધામધૂમપૂર્વક ઉજવની કરવામાં આવી હતી. દેશ ભક્તિમાં આખો દેશ રંગાયો તો સોમનાથ મહાદેવ પણ દેશ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. 70માં પ્રજાસત્તાકને લઇને સોમનાથ મહાદેવને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો.
આધ્યાત્મિક્તાની સાથે રાષ્ટ્ર ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. ભગવાન સોમનાથના ત્રિરંગા શૃંગારના આરતીના દર્શન કરીને ભાવિકો અભિભૂત બન્યા હતા.