વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરમા આજે કારતકી પૂનમની મહાપૂજામાં પહેલીવાર મેળા સહિત ભક્તો મહાદેવને નહીં મળી શકે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર
રાત્રે 12: 30 વાગ્યે પૂનમની મહાપૂજા અને ત્યારબાદ પૂનમ ની મહાપૂજાની મહાઆરતી થશેં
ભાવિકો વિનાની મહાપૂજા અને મહાઆરતી સોમનાથમા
સોમનાથ મંદીર ના ઇતિહાસ મા પહેલીવાર કારતકી પૂનમની મહાપૂજા આરતીમા ભાવિકો નહિ હોઇ. કોરોનાની મહામારીથી સોમનાથનો કારતકી પૂનમ નો મેળો રદ થયો છે. આજે રાત્રે 12: 30 વાગ્યે પૂનમની મહાપૂજા અને ત્યારબાદ પૂનમ ની મહાપૂજાની મહાઆરતી થશેં
ભાવિકો વિનાની મહાપૂજા અને મહાઆરતી
સોમનાથમા અગાઉ કારતકી પૂનમનો મેળો રદ હતો પણ મધરાત્રીની મહાપૂજા અને આરતી તો ક્યારે બંધ નથી રહી. આજે મધરાત્રે ભાવિકો વિનાની મહાપૂજા અને મહાઆરતી સોમનાથમા થશેં
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર
ગુજરાતમાં તહેવારોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોના વાયરસનો પારો ઉપર ચડી રહ્યો છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1598 કેસ સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસના આંકડા
તારીખ
કેસ
રીકવર દર્દી
મોત
2020-11-24
1510
1286
16
2020-11-25
1540
1283
14
2020-11-26
1560
1302
16
2020-11-27
1607
1388
16
2020-11-28
1598
1523
15
ગુજરાતમાં નવા કેસ સામે આવ્યા બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યાનો આંકડો 1,87,969 પર પહોંચ્યો છે. આજે રાજ્યમાં કુલ 15 દર્દીઓની કોરોના વાયરસના કારણે મોત થઇ છે જે બાદ કુલ મૃત્યુઆંક 3953 પર પહોંચી છે.
રાજ્યમાં હાલમાં 14732 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14792 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.93 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,887 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 76,90,779 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે.