રશિયન રાષ્ટ્રપતિ પુતિનને હવે શંકા પડવા લાગી છે કે ખોરાકમાં ઝેર ભેળવીને કોઈક તેમની હત્યા કરવા માગે છે.
પુતિનને આશંકા ઝેર આપીને મારી નાખશે કોઈક
અંગત સ્ટાફમાંથી 1000 લોકોને કાઢી મૂક્યા
ખોરાકમાં ઝેર આપીને હત્યાની આશંકા-ગુપ્તચર રિપોર્ટ
યુક્રેન યુદ્ધની વચ્ચે હત્યાની શંકા પડતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનેં પોતાના અંગત સ્ટાફમાંથી 1,000 લોકોને કાઢી મૂક્યા છે. તેમની જગ્યાએ નવા લોકોની ભરતી કરવામાં આવી છે. રશિયન મીડિયાના જણાવ્યા અનુસાર પુતિનને ખોરાકમાં ઝેર આપીને હત્યાની આશંકા છે. તાજેતરના ગુપ્તચર ઇનપુટ્સથી પુતિન ખૂબ ડરી ગયા છે.
કેટલાક લોકો દેશદ્રોહી બનીને મારી હત્યાનું કાવતરુ કરી શકે છે-પુતિન
રશિયન ટીવી પર બોલતા વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેનથી યુદ્ધની શરૂઆત થયા બાદ રશિયામાં તેમની વિરુદ્ધ ખાસ અભિયાન ચલાવવામાં આવી શકે છે. કેટલાક લોકો દેશદ્રોહી બનીને તેની સામે હત્યાનું ષડયંત્ર રચી શકે છે.
પુતિનને મળતા પહેલા ભોજન ચાખવામાં આવે છે
ડેલી બીસ્ટના તંત્રી ક્રેગ કોપેટસનું કહેવું છે કે તેમને કહેવામાં આવ્યું છે કે પુતિનને ખોરાકમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાની આશંકા છે. તેમણે કહ્યું કે રશિયામાં હત્યા કરવાની સૌથી સામાન્ય પદ્ધતિ ઝેર આપીને મારી નાખવાની છે. આશંકા બાદ પુતિનની સુરક્ષા મજબૂત બનાવી દેવાઈ છે ત્યાં સુધી કે સૌથી પહેલા તેમનું ભોજન સ્ટાફ દ્વારા ચાખવામાં આવે છે અને પછી જ પુતિનને પીરસવામાં આવે છે. પુતિને પોતાના પર્સનલ સ્ટાફમાં રહેલા 1000 લોકોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. નોકરીમાંથી બરતરફ કરાયેલા લોકોમાં સિક્યુરિટી ગાર્ડ, રસોઈયા અને ખાનગી સચિવોનો સમાવેશ થાય છે.
રશિયાએ હાઇપરસોનિક મિસાઇલોથી પહેલીવાર યુક્રેન પર હુમલો કર્યો
રશિયાએ શુક્રવારે યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં પોતાની લેટેસ્ટ કિંજલ હાઇપરસોનિક મિસાઇલોથી પહેલીવાર યુક્રેન પર હુમલો કર્યો હતો, જેમાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે રશિયન સેનાએ આ મિસાઇલનો ઉપયોગ પશ્ચિમી યુક્રેનમાં હથિયાર સ્ટોરેજ સાઇટને નષ્ટ કરવા માટે કર્યો છે.
40 યુક્રેની સૈનિકોના મોત
રશિયાએ કરેલા મિસાઈલ હુમલામાં 40 યુક્રેની સૈનિકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી 112 બાળકોના મોત થયા છે.