આ ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓ હાર્યા; પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખિરિયાની હાર, થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હાર્યા
આ ચૂંટણીમાં કેટલાક દિગ્ગજ નેતાઓ હાર્યા
પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખિરિયાની હાર
થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હાર્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. તમને જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના પરિણામો એકબાદ એક સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા છે.
ક્યા દિગ્ગજ નેતાઓ હાર્યા
પોરબંદર બેઠક પર ભાજપના બાબુ બોખિરિયાની હાર
જેતપુર પાવી બેઠક પર કોંગ્રેસના સુખરામ રાઠવા હાર્યા
થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હાર્યા
રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુ દેસાઈ હાર્યા
પાટણ બેઠક પર ભાજપના રાજુલ દેસાઈ હાર્યા
ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ હાર્યા
બાયડ બેઠક પર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા હાર્યા
ગાંધીનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસના ડો.હિમાંશુ પટેલ હાર્યા
કલોલ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોર હાર્યા
વિરમગામ બેઠક પર કોંગ્રેસના લાખા ભરવાડ હાર્યા
બાપુનગર બેઠક પર કોંગ્રેસના હિંમતસિંહ પટેલ હાર્યા
દરિયાપુર બેઠક પર ગ્યાસુદ્દીન શેખ હાર્યા
જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપના ભૂષણ ભટ્ટ હાર્યા
ટંકારા બેઠક પર કોંગ્રેસના લલિત કગથરા હાર્યા
વાંકાનેર બેઠક કોંગ્રેસના મહમદ પિરજાદા હાર્યા
ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા હાર્યા
ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના વિક્રમ માડમ હાર્યા
ખંભાળિયા બેઠક પર આપના ઈસુદાન ગઢવી હાર્યા
માણાવદર બેઠક પર ભાજપના જવાહર ચાવડા હાર્યા
વીસાવદર બેઠક પર ભાજપના હર્ષદ રિબડિયા હાર્યા
ઉના બેઠક પર કોંગ્રેસના પૂંજા વંશ હાર્યા
અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી હાર્યા
લાઠી બેઠક પર કોંગ્રેસના વિરજી ઠમ્મર હાર્યા
સાવરકુંડલા બેઠક પર કોંગ્રેસના પ્રતાપ દૂધાત હાર્યા
રાજુલા બેઠક પર કોંગ્રેસના અંબરિશ ડેર હાર્યા
વરાછા રોડ બેઠકથી આપના અલ્પેશ કથિરિયા હાર્યા
કતાર ગામ બેઠકથી આપના ગોપાલ ઈટાલિયા હાર્યા
તેમને જણાવી દઈએ કે, 2022ની ચૂંટણીમાં ભાજપ ભવ્ય રીતે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે અને અત્યારના આંકડા જોતા લાગી રહ્યું છે કે, જૂના બધા રેકોર્ડ પણ તૂટી શકે છે. આ બધાની વચ્ચે મોટી વાત એ છે કે, ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કેટલાક દિગ્ગજ ગણાતા નેતાઓ હાર્યા છે જે પછી વિપક્ષ નેતા સુખરામ રાઠવા હોય કે આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ઉપર જણાવ્યા અનુસાર સૌ કોઈ હાર્યા છે.