દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઇબીજ સુધી રહે છે. ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 5 નવેમ્બર સોમવારે છે. આ દિવસ ઉજવવા પાછળ ઘણી પૌરાણિક કથાઓ છે. માનવામાં આવે છે કે આ દિવસે આર્યુવેદના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે ભગવાન ધનવતંરીની પૂજા કરવામાં આવે છે...જાણો ધનતેરસની સાથે જોડાયેલી કેટલીક પૌરાણિક માન્યતાઓ...
પુરાણો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સોનાનો કળશ લઇને ભગવાન ધનવંતરી ઉત્પન્ન થયા હતા આ સોનાના કળશમાં અમૃત હતુ જેનુ પાન કરવાથી દેવતાઓ અમર થઇ ગયા. માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી બાદ દેવી લક્ષ્મી મંથનમાંથી ઉત્પન્ન થયા હતા. જેના કારણે 2 દિવસ દિવાળી ઉજવવામાં આવે છે.
માનવામાં આવે છે કે ધનવંતરી વિષ્ણુના અંશાવતાર છે જેમણે સૃષ્ટિમાં આયુર્વેદ અને ચિકિત્સા માટે અવતાર લીધો હતો. ભગવાન ધનવંતરી દેવતાઓને વૈધ પણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ધનવંતરી પૂજા કરવાથી ઘર-પરિવારના બધા લોકો સ્વસ્થ રહે છે. ધનવંતરી સુવર્ણ કળશમાં અમૃત લઇને પ્રગટ થયા હતા આથી ધનતેરસ પણ વાસણ અને ધાતુની વસ્તુઓ ખરીદવાનું શુભ માનવામાં આવે છે.
શ્રીમદ ભાગવત કથા અનુસાર સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. દેવતાઓની સમસ્યા સાંભળીને ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. ભગવાન વામન રાજા બલિ પાસે દાન માંગે છે.
જ્યારે વામન ભગવાન દાન માગવા આવ્યા તો ગુરુ શુક્રાચાર્યએ તેમને ઓળખી લીધા અને રાજા બલિને દાન આપતા રોક્યા. રાજા બલિ પોતાના ગુરુની વાત માનવા બદલે દાન આપવાનું વચન આપી દીધુ. ત્યારે ભગવાને વામને રાજા બલિ પાસે 3 ડગલા ધરતી માગી.
ભગવાન વામને વિશાળ સ્વરૂપમાં એક પગથી પૃથ્વી બીજો પગ અંતરિક્ષમાં મૂક્યોપરંતુ ત્રીજો પગ રાખવા માટે કોઈ સ્થાન ન બાકી રહ્યું તો બલિએ ભગવાન વામનને પોતાના માથા પર પગ મૂકવા માટે કહ્યુ. જેના કારણે તે સીધો પાતળ લોક પહોંચી ગયો અને દેવતાઓને રાજ- પાઠ મળી ગયા.
રાજા બલિએ દેવતાઓ પાસેથી જે કંઈપણ છીનવ્યું હતું તેનું 13 ગણુ વધારે તેમને મળી ગયું. જે દિવસે રાજ પાઠ મળ્યો હતો તે દિવસે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની તેરસ હતી. દેવતાઓને 13 ગણુ વધારે મળવાના કારણે આ તિથિને ધનતેરસ કહેવાય છે.