સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે કહ્યું છે કે ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના કેટલાક કર્મચારીઓ પણ કાશ્મીરમાં કામ કરી રહ્યાં છે.
UN પ્રમુખના પ્રવક્તાએ કાશ્મીર પર વ્યક્ત કરી ચિંતા
લોકશાહીના સિંદ્ધાતોનું પાલન કરવા કરી અપીલ
UNના કેટલાક કર્મીઓ અહીં કરી રહ્યાં છે કામ
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખના પ્રવક્તાએ કાશ્મીર પર ચિંતા વ્યક્ત કરી
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખના પ્રવક્તા સ્ટીફેન દુજારિકે મંગળવારે પત્રકારો સાથેની નિયમિત વાતચીતમાં જણાવ્યું કે અમે કાશ્મીરની સ્થિતિ પર ચોક્કસ ચિંતિત છીએ અને આ ચિંતા સતત બનેલી છે. મારુ માનવુ છે કે કેટલાક માનવીય સહાયતા કર્મીઓ તેમજ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર એજન્સીના અમારા કેટલાક કર્મીઓ અહીં કામ કરી રહ્યાં છે.
કાશ્મીરને લઇને વધુ જાણકારી મળવાની હજી બાકી
પ્રવકતાને એક મીડિયાના રીપોર્ટરે પૂછ્યું કે કાશ્મીરમાં હાલ સંચાર (કોમ્યૂનિકેશન) સંપૂર્ણ રીતે બંધ છે જેના કારણે ત્યાંના લોકોને મેડીકલ સહાયતા મળી રહી નથી. આવા સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્ર જરૂરિયાત લોકોની મદદ માટે શું કરવા જઇ રહ્યું છે. જો કે પ્રવક્તાએ કહ્યું તેમને હજુ આ અંગે વધારે જાણકારી મળવાની બાકી છે.
લોકશાહીના સિદ્ધાંતોનું પાલન કરવા ભારત સરકારને અપીલ
અમેરિકામાં સીનેટ ઇન્ડિયા ફોકસના સહ-અધ્યક્ષ તેમજ ડેમોક્રેટિક સીનેટર માર્ક વાર્નરે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં લોકોના આવન-જાવન અને કોમ્યુનિકેશન પર લાગેલા પ્રતિબંધના કારણે દુઃખી છે. વાર્નરે ભારત સરકારને અપીલ કરી છે કે તેઓ મીડિયા, સૂચના તેમજ રાજકીય ભાગીદારીની આઝાદી આપી લોકશાહીના સિદ્ધાંતોનું પાલન કરે.
ભારત સરકારે કલમ 370 હટાવવાની કરી હતી જાહેરાત
જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ને હટાવીને જમ્મૂ-કાશ્મીર તેમજ લદ્દાખને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ કાશ્મીરમાં કેટલાક પ્રતિબંધ લગાવામાં આવ્યાં હતા.