કોરોનાને કારણે ચાલી રહેલું લૉકડાઉન 4.0 31 મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. પરંતુ કોરોના પર હજુ જોઈએ તેટલો કાબુ મેળવી શકાયો નથી. કેસ સતત વધી જ રહ્યા છે. સરકારે પણ સેફ ગેમ રમતા ટેસ્ટિંગ ઓછા કરી દીધા છે. જેના કારણે ચેપ વધુને વધુ ફેલાઈ રહ્યો છે. છતાં દરેક દેશવાસીઓના મનમાં એક જ સવાલ ફરી રહ્યો છે કે લોકડાઉન 4.0 બાદ શું? અને કોને મળી શકે છે છૂટ?
લૉકડાઉન 4.0 બાદની રાજ્યસ્તરે તૈયારીઓ શરૂ
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહામંથન બાદ રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી
રાજ્ય સરકાર લૉકડાઉન 4 બાદ થોડાક અંશે વધુ છૂટછાટ આપી શકે છે
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહામંથન બાદ રાજ્યોએ લૉકડાઉન 4.0 પૂર્ણ થયા બાદની તૈયારીઓ શરૂ કરી છે. રાજ્ય સરકાર લૉકડાઉન 4.0 બાદ ક્યા સેક્ટરમાં છૂટ મળી શકે છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે.
જેમાં સરકારી કચેરીઓ, રિઅલ એસ્ટેટને મંજૂરી મળી શકે છે. કપડાની દુકાનો સહિત અન્ય દુકાનો પણ ખુલી શકે છે. આ ઉપરાંત અનાજ કરિયાણાની હોલસેલ બજારો, એપીએમસી માર્કેટ પણ પહેલાં જેમ ફરી ધમધમી શકે છે. હોટેલ અને રેસ્ટોરન્ટને ઓનલાઈન સુવિધા માટે છુટ અપાઈ શકે છે.
તો બીજી તરફ મોલ, મલ્ટીપ્લેક્સ અને ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રહેશે. ધાર્મિક સ્થળના દ્વાર પણ નાગરિકો માટે નહીં ખુલી શકે. શાળા-કોલેજમાં પણ વિદ્યાર્થીઓ માટે તાળા યથાવત્ રહેશે. આ ઉપરાંત લીકર શોપ, ટુરીઝમ સ્થળો તેમજ રેડ ઝોનમાં આવતી સરકારી કચેરીઓને લૉકડાઉન 4.0 બાદ પણ રાહત નહીં મળે તેવી શક્યતાઓ છે.
શું નહીં ખુલે ?
મોલ મલ્ટીપ્લેક્સ
ધાર્મિક સ્થળો
શાળા-કોલેજ
લીકર શોપ
ટુરીઝમ સ્થળો
રેડ ઝોનમાં આવતી સરકારી કચેરીઓ
શું ખુલશે ?
સરકારી કચેરીઓ
રિઅલ એસ્ટેટ
કપડાની દુકાનો સહિત અન્ય દુકાનો
અનાજ કરિયાણાની હોલસેલ બજારો
APMC માર્કેટ
હોટેલ રેસ્ટોરન્ટ
જો કે હોટેલમાં ઓનલાઈન ઓર્ડરથી ઘરે જમવાનું મંગાવવાનું રહેશે
જનતા અફવાથી દુર રહે તેવી CM રૂપાણીની અપીલ
જોકે લૉકડાઉન-5ને લઈને સોશિયલ મીડિયામાં અફવાઓ ચાલી રહી છે કે સરકાર દ્વારા તમામ છૂટ પરત ખેંચવામાં આવશે છે. ત્યારે આ મામલે CM રૂપાણીએ લોકડાઉન-5ને અમલમાં લાવવાની વાતને અફવા ગણાવી છે. CM રૂપાણીએ જનતાને અફવાથી દૂર રહેવાની અપીલ કરી છે.