ફિલ્મ રીલીઝ પહેલા જ તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સોશ્યલ મીડિયા પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે.
ફિલ્મ રીલીઝ પહેલા જ તેને બોયકોટ કરવાની માંગ
પહેલાથી જ આવો નેગેટીવ માહોલ ન બનાવો- આમીર ખાન
મારી ફિલ્મ બોયકોટ ન કરો અને એક વખત તેને થીયેટરમાં જઈને જુઓ.
આમીર ખાનના ડ્રીમ પ્રોજેક્ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. ફિલ્મ રીલીઝ પહેલા જ તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. હાલ સોશ્યલ મીડિયા પર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે ફિલ્મને લઈને ચાલી રહેલ નેગેટીવ માહોલને જોઇને અંતે આમીર ખાને ચુપ્પી તોડી છે. ચાલો જાણીએ શું બોલ્યા આમીર ખાન...
બોલ્યા આમીર ખાન
આમીર ખાને તેના નિવેદનમાં કહ્યું છે કે, 'ફિલ્મ બનાવવામાં ઘણી મહેનત લાગે છે. એક એક્ટરના જ નહીં પણ ઘણા લોકોના ઈમોશન્સ તેની સાથે જોડાયેલા હોય છે. ફીલોમ જોયા પછી તમે તેને પસંદ નાપસંદ કરી શકો છો પણ પહેલાથી જ આવો નેગેટીવ માહોલ ન બનાવો જોઈએ.રીલીઝ પહેલા જ લોકોના ખાલી ખોટા મંતવ્યો દુખ પંહોચાડે છે. ખબર નહીં લોકો કઈ રીતે આવું કરી લે છે. મને ખબર છે કે ઘણા લોકોને એમ છે કે મને આ દેશથી જરાય પ્રેમ નથી પણ હું એવા લોકોને કહેવા માંગું છું કે તમે જે વિચારો છો એ સાચું નથી. મને આ દેશ પ્રત્યે ઘણો પ્રેમ છે. હું એવા લોકોને વિનંતી કરું છું કે મારી ફિલ્મ બોયકોટ ન કરો અને એક વખત તેને થીયેટરમાં જઈને જુઓ. '
ઓટીટી માટે નથી
આ ઉપરાંત અમીર ખાને કહ્યું હતું કે, 'કોરોના પછી ઘણી ફિલ્મો ચાલી છે, પણ જલ્દી ઓટીટીપર આવી જાયે છે. મારી ફિલ્મો સાથે આવું નથી થતું, મારી ફિલ્મો ૬-૬ મહિના સુધી થીયેટરમાં ટકી રહે છે. મેં થીયેટર માટે જ ફિલ્મ બનાવી છે અને હું ઈચ્છું ચુન કે લોકો થીયેટરમાં જઈને જુએ. જયારે ઓટીટી માટે કંઇક બનાવીશ ત્યારે જોયું જશે. જો ઓટીટી માટે કંઇક બનાવવાનો મોકો મળશે તો જરૂર બનાવીશ.'
અક્ષયની ફિલ્મ રક્ષા-બંધન સાથે ટક્કર
દરેક આર્ટીસ્ટ ઈચ્છે છે કે તેની ફિલ્મ દેશના દરેક ખૂણામાં લોકો જુએ. જેમ સાઉથની ફિલ્મોને લોકો પસંદ કરે છે એમ હિન્દી ફિલ્મો આટલી નથી ચાલતી. પણ મને એવી આશા છે કે મારી આ ફિલ્મ દેશના ખૂણે ખૂણામાં લોકો જોશે. સાથે જ બોલીવુડ ફિલ્મોના કલેશ પર અમીર બોલ્યા કે મારી ફિલ્મ સાથે અક્ષયની ફિલ્મ રક્ષા-બંધન આવવા જઈ રહી છે જે ભાઈ બહેનના ઈમોશન્સ પર બની છે અને હું ઈચ્છું છું કે લોકો બંને ફિલ્મોને જુએ અને એટલો જ પ્રેમ આપે.'
— Aamir Khan Productions (@AKPPL_Official) August 1, 2022
આમિર ખાનની ફિલ ૧૧ ઓગસ્ટના રોજ રીલીઝ થવા જઈ રહી છે અને તેના ૧૦ દિવસ પહેલા સોશ્યલ મીડિયા પર તેને બોયકોટ કરવાની માંગ ઉઠી રહી છે. જેને લઈને આમીર ખાને લોકો સત્યે વાત કરીને તેના મંતવ્યો જણાવ્યા હતા.