આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ PM અમદાવાદ ખાતે આવી ગયા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તરફ મંત્રી મંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારસભ્યોને ફોન આવ્યા હોઇ તેઓ પણ આજે જ શપથગ્રહણ કરશે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે જે બ વધુ 6 મંત્રીઓ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હાલ 18 લોકોને ટેલિફોનિક જાણ કરાઈ છે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે.
કયા કયા ધારાસભ્યને આવ્યા ફોન ?
ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળના સદસ્યો આજે શપથ ગ્રહણ કરશે. જેમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે અહીં મહત્વની વાત છે કે, શપથવિધિ બાદ કેબીનેટની બેઠકમાં ખાતાની ફાળવણી કરાશે.
શપથવિધિમાં કોણ કોણ હાજર રહેશે ?
શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. ગઇકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગૃહમંત્રી અમિત શાહ અને આસામના CM પણ આવી ગયા હતા. શપથવિધિમાં 7 રાજ્યોના CM ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં હાજર રહેશે. CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહેશે.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
ભૂપેન્દ્ર પટેલ સગીરાવસ્થાથી જ RSS સાથે જોડાણયા હતાં. તેઓ મેમનગર નગરપાલિકાના પ્રમુખ અને AMC સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન પણ રહ્યા હતાં. 2015 થી 2017 સુધી AUDAના ચેરમેન તરીકે સેવા આપી છે. AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને 2017માં ઘાટલોડિયા બેઠક પર જીત્યા તેઓ 2017માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટાયા હતાં. 2017માં તેઓ 1.17 લાખ મતથી જીત્યા હતા અને સપ્ટેમ્બર 2021માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા તેમજ 2022ની ચૂંટણીમાં પણ રેકોર્ડબ્રેક માર્જિનથી જીત મેળવી છે.
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ સતત ત્રણ ટર્મથી ચૂંટાયા છે. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ ઉદ્યોગ મંત્રી રહ્યાં હતાં.
ધારાસભ્ય શંકર ચૌધરીની રાજકીય ઇતિહાસ
શંકર ચૌધરીએ 'દૂધવાલા'ના નામથી જાણીતા છે. તેઓ ભાજપના સિનિયર નેતા છે તેમજ ચૌધરી કુલ પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જેમાં રાધનપુર, વાવ, થરાદ બેઠક પર જીત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આનંદીબેનની સરકારમાં આરોગ્ય-સહકાર મંત્રી રહી ચૂક્યાં છે. સહકારી ક્ષેત્રના આગેવાન છે તેઓ બનાસડેરીના બે વખત બિનહરિફ ચેરમેન બન્યા હતાં. તેઓ વિદ્યાર્થીકાળથી જ ABVP સાથે જોડાયા અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.
ઋષિકેશ પટેલ, વિસનગર
ઋષિકેશ પટેલની રાજકીય સફર જોઈએ તો વિસનગર બેઠકથી સતત 4 વાર ચૂંટાયા છે. ઉત્તર ગુજરાતનો અગ્રણી પાટીદાર ચહેરો છે અને મહેસાણા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સહકારી અને ઉદ્યોગ ક્ષેત્રે સ્થાનિક સ્તરે સારી ઓળખ ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્ય મંત્રી, પાણી-પુરવઠાનો પણ હવાલો સંભાળ્યો હતો.
કુંવરજી બાવળિયા, જસદણ
બાવવળિયા જસદણ બેઠક પર 1995થી ચૂંટાતા આવ્યા છે. તેઓ 1995 થી 2017 સુધી કોંગ્રેસ તરફથી ધારાસભ્ય હતા અને 2018માં ભાજપમાં જોડાયા હતાં તેમજ પેટાચૂંટણીમાં ફરી જસદણ પરથી જીત્યા હતાં. તેઓ રૂપાણી સરકારમાં પાણી-પુરવઠા મંત્રી હતા અને કોળી સમુદાયનો અગ્રણી ચહેરો છે.
જયેશ રાદડિયા, જેતપુર
જયેશ રાદડિયા ભાજપનો યુવા મજબૂત ચહેરો છે. જેતપુર બેઠકથી સતત ત્રીજીવાર ચૂંટાયા છે અને પાટીદાર સમાજના અગ્રણી છે. નરેન્દ્ર મોદી, આનંદીબેન, રૂપાણી સરકારમાં મંત્રી ચૂક્યા છે. રાજકોટ જિલ્લા કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન-ડિરેક્ટર રહ્યાં છે.
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
રાઘવજી પટેલની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કૃષિ અને પશુપાલન મંત્રી અને કૃષિમંત્રી ફરીવાર જીતતા નથી તે માન્યતા તોડી છે. 1990 પછી બીજી વખત જીતનાર પહેલા કૃષિમંત્રી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં. શંકરસિંહની રાજપા સરકારમાં પણ મંત્રી હતા.