પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણ કરાવાયું હોવાનો આક્ષેપ લાગી રહ્યા છે. મોડી રાત્રે એક હિન્દુ પરિવારના ઘરે ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહેતા હોબાળો, હિન્દુ સમાજના અગ્રણીઓ અને VHPના કાર્યકરોએ પોલીસમાં અરજી કરી છે અને સમગ્ર મામલે ન્યાયીક તપાસ કરાવમાં આવે તેની માંગ કરવામાં આવી રહી છે..
ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહેતા હોબાળો
પંચમહાલમાં પણ ધર્માંતરણ થતું હોવા મુદ્દે હોબાળો થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો..ગોધરાના ભૂરાવાવમાં ખ્રિસ્તી સમુદાયના લોકો હિન્દુ પરિવારના ઘરે હાજર રહેતા હોબાળો થયો હતો.. જે બાદ મોડી રાત્રે હિન્દુ પરિવારના ઘરે હિન્દુ સમાજના અગ્રણીઓ અને VHPના કાર્યકરોએ પહોંચ્યા હતા..સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણનો આક્ષેપ
મહત્વનું છે કે ગોધરાના ભૂરાવાવ ગામે મોડી રાત્રે કેટલાક ખ્રિસ્તી સમુદાયના લોકો હાજર રહેતા ધર્માંતરણ થયું હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે..ત્યારે હિન્દુ પરિવાર દ્વારા જન્મ દિવસની ઉજવણી માટે મિત્રો આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.. જો કે આ વાત હિન્દુ સમાજના અગ્રણીઓ અને VHPના કાર્યકરોને થતા તેઓ પણ મોડી રાત્રે ઘટના ભૂરાવાવમાં આવી પહોંચ્યા હતા અને હોબાળો મચ્યો હતો.. જો કે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યી હતી.. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપતા મામલે શાંત પાડવામાં આવ્યો હતો..જો કે હિન્દુ સમાજના અગ્રણીઓ અને VHPના કાર્યકરોને પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે અને સમગ્ર મામલે ન્યાયીક તપાસની માંગ કરવાની માંગ કરી છે..