ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી એવા નેતા હતા જેમના વખાણ પક્ષ જ નહીં તેમના રાજનીતિક વિરોધીઓ પણ કરતા હતા. તેમની મીઠી વાણીના તમામ લોકો દિવાના હતા. કવિતાઓના શોખીન અટલ બિહારી વાજપેયી ભોજનના પણ શોખીન હતા. અટલજીને ગ્વાલિયરના બહાદુરાના બૂંદીન લાડુ અને દૌલતગંજની મંગૌડી ખુબ પસંદ હતી. લઝીઝ ભોજન માટે તેઓનો હંમેશા લગાવ રહ્યો હતો.
અટલજીના પિતા શિક્ષક હતા. પણ તેઓએ રાજનીતિમાં પોતાનું કરિયર બનાવ્યુ. રાજનીતિમાં તેઓએ દેશથી લઈ વિદેશો સુધીના પ્રવાસ કર્યા પણ ક્યારેય ગ્વાલિયરના પકવાનોનો સ્વાદ ન ભૂલ્યા. અને જ્યારે પણ સમય મળ્યો ત્યારે તેઓ અહીં આવીને પોતાની પસંદગીની વસ્તુઓનો સ્વાદ ચાખતા રહ્યા.
અટલ બિહારી વાજપેયીજીને શાકાહારી સાથે માંસાહારી ખાવાનું પણ વધારે પસંદ હતુ. નોન વેજિટેરિયન વ્યંજનોમાં તેમને જીંગા માછલી વધારે પસંદ હતી. ઘણીવાર તેઓ પ્રોનની ડિશ ખાતા હતા. મદિરાપાનને લઈને પણ તેઓએ ક્યારેય કંઈજ છુપાવ્યુ નહોતું. અટલજી બાંગનું સેવન પમ કરતા હતા. તેમના માટે સ્પશ્યલી ઉજ્જૈનથી ભાંગ આવતી હતી.
ઉપરાંત મિઠાઈના પણ દિવાના હતા. જ્યારે પણ અટલજી ગ્વાલિયર જતા હતા તો બૂંદીના લાડૂ ખાવાનું નહોતા ભૂલતા. પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેઓ ગ્વાલિયર જતા રહેતા હતા. જ્યાં તેઓ લાડૂ જલેબી કચોરીનું સેવન કરતા હતા. હોળી પર પણ જ્યાં સુધી ઠંડાઈનું સેવન ન કરી લે ત્યાં સુધી તેમની હોળી પૂરી નહોતી થતી.
ઠંડાઈ સાથે તેમનો ખાસ લગાવ હતો. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબૂલાલ ગૌર કહે છે કે જ્યારે તેઓ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે એક વાર તેઓ ઈન્દોર થી ઉજ્જૈન કારથી આવ્યા. ત્યાર બાદ તેઓ તેમના લઈને ગોપાલ મંદિર ગયા. અટલજીએ કહ્યુ કે મંદિર ઘોડાગાડીથી જઈશું. પછી અટલજીએ કહ્યુ કે ત્રણ ગ્લાસ ભાંગ લઈ આવો.
તેઓએ કહ્યુ કે બે ગ્લાસ હું પીસ અને એક ગ્લાસ તમે પીજો. સાથે જ તેઓએ કહ્યુ કે મારા ગ્લાસમાં બદામ અને કિશમિશ પણ નાખે. તેઓએ કહ્યુ કે તે એવા માણસ હતા કે તેમની સાતે કેવો પણ મજાક કરી લો તેઓ ક્યારેય માઠુ નહોતા લગાડતા. અટલજી ખુબ ખુલ્લા દિલના માણસ હતા.