મિસાઈલ મેનના નામે જાણીતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની આજે જન્મ જયંતિ છે. ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને એન્જિનિયર એપીજે અબ્દુલ કલામની આજે 88મી જયંતિ છે. તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. દેશના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી સન્માનિત થયેલા અબ્દુલ કલામ જનતાના રાષ્ટ્રપિતા પણ કહેવાતા. ગરીબ પરિવારમાં જન્મેલા કલામે રેલવે સ્ટેશન પર પેપર વેચીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની 88મી જન્મ જયંતિ
ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા
ગરીબીમાં વીતાવ્યું હતું પોતાનું બાળપણ
રેલવે સ્ટેશન પર પેપર વેચીને કર્યો અભ્યાસ
સકારાત્મક વિચારોના પ્રેરણા સ્ત્રોત હતા કલામ
અહીં જન્મ્યા હતા એપીજે અબ્દુલ કલામ
એપીજે અબ્દુલ કલામનું આખું નામ અવુલ પાકિર જૈનુલ્લાબ્દીન અબ્દુલ કલામ હતું. તેમનો જન્મ આજના દિવસે એટલે કે 15 ઓક્ટોબર 1931ના રોજ દક્ષિણ ભારતના તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો.
આવો રહ્યો એપીજે અબ્દુલ કલામનો કાર્યકાળ
એપીજે અબ્દુલ કલામે મુખ્ય રીતે એક વૈજ્ઞાનિકના રૂપમાં ચાર દસકા સુધી રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) અને ISROને પણ સંભાળ્યું. દેશમાં સૈન્ય મિસાઈલના વિકાસના પ્રયાસોમાં તેઓ સામેલ રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ કલામે પોતાનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લીથી કર્યો હતો. તેઓને વર્ષ 2002માં ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા હાદ તેઓ ફરી શિક્ષા, લેખન અને સાર્વજનિક સેવામાં પાછા આવ્યા હતા.
આવું હતું એપીજે અબ્દુલ કલામનું જીવન
વ્યવસાયે માછીમાર પરિવારમાંથી આવનારા એપીજે અબ્દુલ કલામના પાંચ ભાઈ અને પાંચ બહેન હતા. તેમના પિતા નાવિક હતા. તેઓ માછીમારોને ભાડે હોડી આપતા હતા. માનવામાં આવે છે કે કલામનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું હતું. આ કારણ છે કે મોટા પરિવારનું ભરણ પોષણ કરવાનું અને અભ્યાસ કરાવવાનું એપીજે અબ્દુલ કલામના પિતા માટે મુશ્કેલ રહ્યું હતું. આ સમયે એપીજે અબ્દુલ કલામે બાળપણમાં રેલવે સ્ટેશન પર પેપર વેચ્યા. પેપર વેચીને જે રૂપિયા આવતા તેનાથી તેઓ પોતાના અભ્યાસનો ખર્ચ ઉપાડતા હતા. ગરીબીમાં એપીજે અબ્દુલ કલામે પોતાની સ્થિતિ સામે હિંમત ન હારી અને પોતાના સપનાંને પૂરા કરવાનું ધ્યેય કાયમ રાખ્યું.
આ દિવસે થયું એપીજે અબ્દુલ કલામનું નિધન
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નિધન 27 જુલાઈ, 2015માં શિલોન્ગમાં થયું હતું. તેઓ IIM શિલોન્ગમાં લેક્ચર આપવા ગયા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. તેમના નિધન બાદ 7 દિવસના રાષ્ટ્રિય શોકની પણ જાહેરાત કરવામાં આવી હતી.
1997માં મળ્યો ભારત રત્ન પુરસ્કાર
એપીજે અબ્દુલ કલામને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વર્ષ 1997માં મળ્યું હતું. આ સિવાય તેઓને પદ્મવિભૂષણ, રામાનૂજ પુરસ્કાર, માનદ ડોક્ટેરેટ, ડોક્ટર ઓફ સાયન્સના સન્માન પણ મળી ચૂક્યા હતા.
આવા હતા એપીજે અબ્દુલ કલામના વિચાર
સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સપનાં તો એ છે જે તમને ઊંઘવા દેતા નથી.
જીવનમાં ફેલ થાઓ તો પણ ક્યારેય હાર ન માનો કારણ કે ફેલ એટલે ફર્સ્ટ એટેમ્પ્ટ ઈન લર્નિંગ.
જો તમે સૂરજની જેમ ચમકવા ઈચ્છો છો તો પહેલાં સૂરજની જેમ તપવું પડશે.
આત્મવિશ્વાસ અને સખત મહેનત અસફળતાની બિમારીને મારવા માટેની સૌથી ઉત્તમ દવા છે.
રાહ જોનારાને એટલું જ ફળ મળે છે જેટલું કોશિશ કરનારા છોડી દેતા હોય છે.