ગુજરાતી લોકો હરવા-ફરવા તથા ખાણી-પીણીના શોખને લઇને ખુબ જ જાણીતા છે, ફરવા જવા માટે ગુજરાતીઓને કોઇ ખાસ સિઝનની જરૂર નથી હતી પરંતુ બારેય મહિના લોકો મોજશોખ અને હરતા ફરતા રહે છે, પરંતુ અમુક ચોક્કસ સ્થળો વર્ષમાં એક ચોક્કસ સમયે અદભુત અને કંઇક ખાસ સૌંદર્ય ધારણ કરી લેતા હોય છે. ત્યારે અમે આજે આપને ગુજરાતના એવા કેટલાક સ્થળો વિશે જણાવીશું જ્યાં ચોમાસાની સીઝનમાં કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. આ સ્થળો પોતાના કુદરતી સૌંદર્યને લઇને ખુબ જ જાણીતા બન્યા છે.
કુદરતના ખોળે વસેલ નગર : પોળોના જંગલો (વિજયનગર)
અમદાવાદથી લગભગ 160 કિલોમીટરના અંતરે આવે પોળોના જંગલો ખુબ જોવા લાયક છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલ છે. પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં આ સ્થળ કબજે કરાયું. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલ હોવાથી તેને "દ્વાર"નું પ્રતીક આપવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાય છે.
બન્ને તરફ પર્વતો અને પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલ આ પોળોનું જંગલ મુલાકાતીને યાદગાર રહી જાય તેવું છે. આ સ્થળે 10 સદીમાં બનેલ એક શિવ મંદિર પણ આવેલું છે.જ્યાંની કોતરણી અને કલા કારીગરી વર્ષો પહેલાની આર્કીટેક શૈલીની અનુભૂતિ કરાવે છે.
આપને જણાવી દઇએ કે 400 શુષ્ક મિશ્ર પાનખર જંગલ ચોરસ કિમી વિસ્તાર ચોમાસાને બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથી વિપુલ જ્યારે નદીઓ સંપૂર્ણ છે પરંતુ વર્ષના કોઇ પણ સમયે તે સમૃદ્ધ વન્યજીવન અનુભવ પૂરો પાડે છે. ત્યાં ઔષધીય છોડ કરતાં વધુ 450 પ્રજાતિઓ પક્ષીઓની આસપાસ 275 સસ્તન પ્રાણીઓની 30 અને પેટે ઘસીને ચાલતી 32 છે.
આહલાદક શાંતિ અને કુદરતી સૌદર્યનો અનોખો સંગમ : સાપુતારા
સાપુતારામાં કુદરતે ખોબે-ખોબે સૌંદર્ય વેર્યુ છે. અને ચોમાસામાંતો સાપુતારાની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. ચારે તરફ હરિયાળી અને ખળ-ખળ વહેતા ઝરણા સાપુતારાને અવર્ણનીય સુંદરતા બક્ષે છે.તાજેતરમાં વરસેલા વરસાદથી સાપુતારા સોળેકળાએ ખીલી ઉઠયું છે. અને સહેલાણીઓ અહીંના કુદરતી સૌંદર્યને જોઇને મંત્રમુગ્ધ થઇ રહ્યા છે.
માનવામાં આવે છે કે ડાંગના જંગલોમાંજ માતા શબરી અને શ્રી રામ ભગવાનનું મિલન થયું હતું. આજે સદીઓ બાદ પણ આ જગ્યાએ પવિત્ર શાંતિનો અનુભવ થાય છે. આહ્લાદક શાંતિ અને અદભૂત કુદરતી સૌંદર્યનો સંગમ એટલે ડાંગનું સાપુતારા.
દીવ
આમ તો દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, સરકારી રીતે ગુજરાતમાં ગણવામાં આવતું નથી પરંતુ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. અમદાવાદથી દીવનું રોડ ડિસ્ટન્સ આશરે 362 કિમી છે, જે 6-8 કલાકની અંદર કપાઇ જાય છે.
દીવ જતી વખતે રસ્તામાં આવતા ઢાબામાં તમે ટેસ્ટી ફૂડ પણ માણી શકો છો. દીવમાં સેન્ટ પોલ્સ ચર્ચ, નાગવા બીચ, દીવ ફોર્ટ, નૈદા ગુફા, જેવી કેટલીય જગ્યાઓની મુલાકાત લઇ આપ દીવની ધરોહરને તમે માણી શકો છો.
તિથલ બીચ
તિથલ બીચ પણ નારગોલ બીચની જેમ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો છે. સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતો હોવાથી તેના વિકાસનો વ્યાપ વઘારે છે. તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવાલાયક સ્થળોમાનું એક સ્થળ છે.
તેમજ સુરત ઉપરાંત સાપુતારા દાંડી દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
નારગોલ બીચ
નારગોલ બીચ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો છે. તેની આસપાસ સુરત અને દહેજ જેવા બે વિશાળ પોર્ટ છે. ઉપરાંત વિકાસની દૃષ્ટિએ સુરત અને ઉમરગાંઉની વચ્ચે આ બીચ આવતો હોવાથી તેના વિકાસની શક્યતાઓ વધુ છે.
નારગોલ બીચ પહોંચવા માટે નજીકનું સ્થળ ઉમરગાંઉ છે. તેમજ રેલવે થકી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન સજાણ છે. ઉપરાંત વલસાડ અને સુરત જેવા સ્થળેથી સમયાતંરે ખાનગી તથા સરકારી સાધન મળી શકે છે.
રતનમહાલ
ગુજરાતમાં અનેક મનમોહક પર્યટન સ્થળો આવેલા છે. દાહોદનું રતનમહાલ અભ્યારણ્ય પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રતનમહાલ રીંછ અભ્યારણ્યમાં અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ વસવાટ કરે છે.. જેને જોવાનો લ્હાવો પર્યટકો માટે યાદગાર બની જાય છે.
સમુદ્રી તટથી 675 કિલોમીટર ઉંચાઈએ આવેલું આ દાહોદનું રતનમહાલ રીંછ અભ્યારણ પુરાતન સ્થળ છે જે હાલ અરવલ્લીની પર્વતમાળાઓ લીલીછમ ચાદરોથી આચ્છાદિત બન્યું છે. જેનો લ્હાવો લેવા ગુજરાત સહિત દેશભરના લોકોની હોડ લાગી છે. જેમાં રતનમહાલનો ધોધ જંગલી પ્રાણીઓ અને પશુઓને તેમજ અવનવી વનસ્પતિઓ જોવી એ એક લ્હાવો છે.