ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.
પૂર્વ ધારાસભ્યોએ હજુ સરકારી આવસ ખાલી નથી કર્યા
ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેનું તાળું તોડવામાં આવ્યું
સુમનબેન ચૌહાણ અને સંતોકબેન અરેઠીયા આવતીકાલે ચાવી સોંપશે
ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય બનેલા લોકોને સરકાર દ્વારા રહેવા માટે બંગલો તેમજ નોકર ચાકર સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. પરંતું અમુક ધારાસભ્યો દ્વારા ચૂંટણી હાર્યા બાદ પણ સરકારી બંગલો ખાલી ન કરતા તેઓની સામે આજે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારને જાણ કરી તેમના ઘરનું તાળું તોડવામાં આવ્યું હતું. ત્યારે બાકી રહેલા ધારાસભ્યોના આવાસનાં પણ તાળા તોડી કબ્જો લેવામાં આવ્યો હતો. વિધાનસભાની નોટીસ બાદ પણ 7 ધારાસભ્યોએ આવાસ ખાલી કર્યા ન હતા. ત્યારે સુમનબેન ચૌહાણ અને સંતોકબેન અરેઠીયા રાપર જેઓ આવતીકાલે ચાવી સોંપશે તેમ જાણવા મળી રહ્યું છે.
પદ ગયું પણ મોહ હજું છૂટતો નથી
આ પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે. આ પૂર્વ મંત્રીઓએ ખાલી કરી દીધા હતા બંગલા
મહત્વનું છે કે, સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી સોંપી હતી.