રસોડું એ ઘરનો એક એવો ભાગ છે જેની સાથે સમગ્ર ઘરની સુખ અને સમૃદ્ધિ સંકળાયેલી છે. રસોડા સાથે જોડાયેલ કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં કેટલીક નકારાત્મક શક્તિઓને સંચાર થાય છે આ કારણે રસોડા સાથે જોડાયેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
આપને જણાવી દઇએ કે વાસ્તુશાસ્ત્રમાં માનવ જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવેલ છે. આ શાસ્ત્રમાં એવી અનેક બાબતોનું નિરાકરણ આપવામાં આવેલ છે જેના દ્વારા માનવી સુખ-સમૃધ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
- કિચનમાં ભૂલથી પણ મંદિર ના બનાવવું જોઇએ. જે ઘરના રસોડામાં મંદિર હોય તે ઘરમાં હંમેશા તણાવ રહે છે.
-કિચન અને બાથરૂમનું એક સાથે હોવું પણ અશુભ માનવામાં આવે છે. આ કારણે ઘર પર નકારાત્મકતા પૈદા થાય છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે લડાઇ-ઝઘડો થતો રહે છે.
-ઘરના મુખ્યદ્વાર પરની એકદમ સામે રસોડું ના હોવું જોઇએ. વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે.
-ક્યારેય પણ કિચનમાં સ્નાન કર્યા વગર પ્રવેશ ના કરવો જોઇએ. આમ કરવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.
-ઘરમાં વાસ્તુદોષને દૂર કરવા માટે હંમેશા ભોજન પહેલા તેનો પ્રથમ હિસ્સો ભગવાન અને ગાયને સમર્પિત કરવો જોઇએ. એવું કરવાથી ઘરમાં વાસ્તુદોષ થાય છે.