સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓની દાદાગીરી સામે આવી છે. સબ જેલમાં બે કેદીઓએ કોન્સ્ટેબલનો કોલર પકડી નવા કેદીઓને પોતાના બેરકમાં જગ્યા ન આપવા મામલે ચીમકી આપી છે. જેલ પ્રશાસને હાલ પોલીસની કામગીરીમાં દખલગીરી કરવા મામલે બંને કેદીઓ સામે ફરિયાદ દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
#Surendranagar સબજેલમાં બે કેદીઓની દાદાગીરી કોન્સ્ટેબલ સામે કેદીઓએ કરી દાદાગીરી કોન્સ્ટેબલની વર્દીનો કોલર પકડી આપી ધમકી નવા કેદીઓને પોતાના બેરેકમાં નહી મુકવા આપી ચીમકી બંને કેદીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઇ pic.twitter.com/Kl37S7RzTx
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ આજરોજ સુરેન્દ્રનગરના ભગવતી ચોક નજીક આવેલ સબજેલમાં કેટલાક કેદીઓની દાદાગીરી પ્રકાશમાં આવી હતી. જેમાં સબજેલમાં સજા કાપી રહેલા 2 કેદીઓએ એક કોન્સ્ટેબલનો કોલર પકડીને નવા કેદીઓને પોતાના બેરકમાં જગ્યા ન આપવાની વાત કરી હતી.
આ ઘટના અંગેની જાણકારી સબજેલના વડા અધિકારીને થતાં તેઓ તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને મામલાની ગંભીરતાનો તાગ મેળવીને પોલીસની કામગીરીમાં દખલગીરી કરવા અંગેની એક ફરીયાદ બંન્ને કેદીઓ વિરૂદ્ધ દાખલ કરી છે. આ મામલે સ્થાનિક પોલીસે હાલ બંન્ને કેદીઓની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.