કૈલાશ પર્વતને સ્વર્ગનો રસ્તો માનવામાં આવે છે. આખા હિમાલયમાં કૈલાશ પર્વત રહસ્યથી ભરેલી જગ્યા છે. આંકડાની વાત કરીએ તો કૈલાશની ઊંચાઈ તિબેટિયન તળેટીથી 22 000 ફીટ છે. અહીં મોટાભાગના લોકોને પ્રવેશ નથી મળતો. હિન્દુ અને બુદ્ઘ લોકો માટે કૈલાશ પર્વત મેરુ પર્વત સમાન છે. અમે આજે તમને ભગવાન શિવના ઘર વિષેની રહસ્યમય અને રસપ્રદ વાતો જણાવવા જઇ રહ્યા છીએ. દુનિયાનું સૌથી રહસ્યમય અને પવિત્ર શિખર છે.
મેરૂ પર્વત પિરામિડ આકારનો છે. તેને જોઇને કોઇપણ માની જાય કે અલૌકિક શક્તિ ધરાવતા માણસોની ગજબ આવડતનું જ આ પરિણામ છે.
બુદ્ધ અને હિન્દુ ધર્મગ્રંથોને જણાવ્યા મુજબ મેરૂ પર્વતમાં પ્રાચીન મઠ અને ગુફાઓ આવી છે જ્યાં સંત મંહતોનો વાસ હતો. આ ગુફાઓ માત્ર નસીબદારોને જ જોના મળે છે.
દર વર્ષે હજારો યાત્રીઓ તિબેટમાં કૈલાશ પર્વતની યાત્રા માટે આવે છે. ઘણા ઓછા લોકો તેની ટોચ સુધી પહોંચી શકે છે અથવા તેની પ્રદક્ષિણા પૂર્ણ કરી શકે છે. આ ટોચ પર પહોંચવા કેટલાક બહાદુર પર્વતારોહીઓએ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં તેમને સફળતા મળી ન હતી.
હિન્દુઓ માટે આ પર્વત પર ચડવુ વર્જિત મનાય છે. અહીં ચડવાથી પર્વતની પવિત્રતા જોખમાય એવું માનવામાં આવે છે. વળી હિન્દુઓ માને છે કે આવુ કરવાથી અહીં રહેતા સંતોની પવિત્ર ઉર્જાને પણ ખલેલ પહોંચે છે. તિબેટિયન માન્યતા અનુસાર મિલારેપા નામના એક સાધુએ મેરૂ પર્વતની ટોચ સુધી પહોંચ્યા હતા પરંતુ જ્યારે પાછો ફર્યો ત્યારે તેણે ટોચ પર વસતા ભગવાનને હેરાન ના કરવાની ચેતવણી આપી હતી.
કૈલાશ પર્વતની તળેટીમાં માનસરોવર અને રાક્ષસ તાલ નામના બે તળાવ આવેલા છે. 14 950 ફીટની ઊંચાઈએ આવેલુ માનસરોવર વિશ્વનું સૌથી ઊંચુ સ્વચ્છ પાણીનું તળાવ ગણવામાં આવે છે. માનસરોવર પવિત્ર ગણાય છે જ્યારે રાક્ષસ તાલ તેનાથી સાવ વિરુધ્ધ ગણાય છે. અહીં રાજા રાવણે શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે આકરુ તપ કર્યુ હતુ. આથી તે રાક્ષસી ગુણો સાથે સંકળાયેલુ છે. તેમાં ખારુ પાણી છે અને તેમાં કોઇપણ જળચરનો વાસ નથી.
કૈલાશ એ આખા વિશ્વનું કેન્દ્ર બિન્દુ મનાય છે. માન્યતા મુજબ આ એ જગ્યા છે. જ્યાં સ્વર્ગપૃથ્વીને મળે છે. ગૂગલ મેપ પર જોશો તો પણ તમને માલૂમ પડશે કે કૈલાશ વિશ્નનું કેન્દ્ર બિંદુ છે.
પવિત્ર માનસરોવર ગમે તેવી પરિસ્થિતમાં શાંત જ રહે છે. ઝડપથી પવન ફૂંકાતો હોય તો પણ માનસરોવરનું પાણી સ્થિર અને શાંત રહે છે. જ્યારે રાક્ષસ તાલનું પાણી હંમેશા ડામાડોળ રહે છે.
કૈલાશની યાત્રા કરીને આવો ત્યારે તમારા નખ અને વાળ થોડા મિલિમિટર વધી ગયા હોય તો નવાઈ ન પામશો. યાત્રીઓએ અનુભવ્યું છે કે આ પ્રાચીન શિખરની હવામાં ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
એક વખત સાઈબેરિયાના પર્વતારોહકો શિખર પર અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા હતા. પાછા આવ્યા તો એમની ઉંમર અમુક દશકા વધી ગઈ હોય તેવુ લાગતુ હતુ. આઘાતજનક વાત એ છે કે શિખર પર ચડનારા બધા જ પર્વતારોહકો એક જ વર્ષ બાદ વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યા હતા.