આતંકવાદ વૈશ્વિક સમસ્યા બની ચૂક્યું છે. ત્યારે સોમાલિયા માટે આજનો દિવસ કાળો દિવસ સાબિત થયો છે. કાર બોમ્બ વિસ્ફોટમાં સોમાલિયામાં 60થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ પ્રાથમિક જાણકારી આપી હતી.
મોગાદિશૂમાં શનિવાર સવારે એક કાર બોમ્બ વિસ્ફોટ
વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકો માર્યા ગયાઃ મોગદિશુ મેયર
તુર્કીના એન્જિનીયર હતા નિશાન
સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં શનિવાર સવારે એક કાર બોમ્બ વિસ્ફોટમાં 60થી વધુ લોકો માર્યા ગયા. આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
મોગાદિશૂના મેયર ઉમર મુહમ્મદે આની પુષ્ટ કરી છે. તેમણે ટ્વીટરના માધ્યમથી આની જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 લોકો માર્યા ગયા છે, વધુ પડતા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં કોઇ પણ સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.
પોલીસ અધિકારી ઇબ્રાહિમ મોહમ્મદે જણાવ્યું હતું કે, વિસ્ફોટ વિનાશકારી હતો અને મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે, કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.
ટેક્સ ઓફિસની પાસે થયો હુમલો
વિસ્ફોટના પ્રત્યક્ષદર્શી અહમદ મોઆલીમ વારસેમે કહ્યું હતું કે મેં 22 મૃતદેહોની ગણતરી કરી છે, તેમાં તમામ સામાન્ય નાગરિક છે અને ત્રીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ કાળો દિવસ છે. આ વિસ્ફોટ ખુબ જ વ્યસ્ત અવરજવર વાળા વિસ્તારમાં થયો, જ્યાં એક સુરક્ષા તપાસ ચોકી અને કરવેરા કચેરી છે.
અલ-શબાબનું હોઇ શકે છે ષડયંત્ર
એક અન્ય પ્રત્યક્ષદર્શી મુહિબો અહમદે જણાવ્યું હતું કે, આ એક વિનાશકારી ઘટના છે કારણ કે બસોમાં વિદ્યાર્થીઓ સહિત કેટલાક લોકો હતા જે વિસ્ફોટના સમયે આ વિસ્તારથી પસાર થઇ રહ્યા હતા. જોકે અલ-કાયદાથી જોડાયેલ અલ-શબાબ સંગઠન આવા હુમલા કરતુ રહે છે.
તુર્કીના એન્જિનીયર હતા નિશાન
રેડિયો દલસને સોમાલી સુરક્ષા સેવાઓનો હવાલાથી કહ્યું કે વિસ્ફોટમાં માર્યા ગયેલ તુર્કીના એન્જિનિયર હુમલાખોરોના નિશાન હોઇ શકે છે.