સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના કુઢડા ગામના આર્મી જવાન ભાવેશ રાઠોડ શ્રીનગર ખાતે ફરજ બજાવતા હતા. જેઓ ફરજ દરમિયાન આકસ્મિક કારણોસર શહિદ થયા.
ચોટીલાથી જસદણ જવાના માર્ગ પર આવેલ ચોટીલાના કુઢડા ગામ આવેલું છે. આ ગામમાંથી આઠ જેટલા જવાનો સેનામાં ફરજ બચાવે છે. જેમાં તળપદા કોળી સમાજના ધીરૂભાઇ ચોથાભાઇ રાઠોડના પુત્ર ભાવેશ રાઠોડ જેઓ આર્મીમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. જેઓ ગુરૂવાર સવારે કોઇ આકસ્મિક કારણે શહીદ થયા હતા. આર્મીના અધિકારી દ્વારા ફોન કરીને પરિવારને જાણ કરાઇ હતી. આ ઘટનાને લઇને પરિવાર અને ગામમાં શોક છવાયો છે.
શહીદ જવાન તેના પરિવારનો એકમાત્ર પુત્ર હતો. જે દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો. જેની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને તેઓ અપરણિત હતા. કુટુંબમાં તે ચાર બહેનો વચ્ચે એક ભાઇ હતો.
ભાવેશ રાઠોકનું સૌ પ્રથમ પોસ્ટીંગ ઉત્તરપ્રદેશમાં થયું હતું ત્યારબાદ તેમને આસામ અને અરૂણાચલપ્રદેશ અને છેલ્લે દોઢ મહિના અગાઉ જમ્મુ કાશ્મીરના શ્રીનગરના બાંદીપુરા ખાતે 23 મરાઠા બટાલીયનમાં ફરજ બજાવતા હતા.
ત્યારે શ્રીનગરમાં આકસ્મિક ઘટનાની સેનાને જાણ થતા આર્મી હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમનું પોસ્ટ મૉર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તેમનો મૃતદેહ માદરે વતન પહોંચશે. જ્યાં તંત્રની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.