આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સમયે કુલ 6 ગ્રહો વક્રી રહેશે. જ્યોતિષીઓનું માનવું છે કે આ ગ્રહણકાળમાં જો તમે 3 મંત્રોનો જાપ કરો છો તો તમે તેની નકારાત્મક અસરોથી બચવામાં સફળ રહો છો. જાણી લો ખાસ 3 મંત્રો.
આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ
આ 3 મંત્રોનો જાપ બચાવશે ગ્રહણની નકારાત્મક અસરોથી
આજે એકસાથે 6 ગ્રહો રહેશે વક્રી
21 જૂન એટલે કે રવિવારે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આ ગ્રહણ સવારે 9.15 મિનિટથી બપોરે 3.04 મિનિટ સુધીનું છે. જ્યોતિષીઓના અનુસાર ભારત સહિત અનેક દેશોમાં તેની અસર રહેશે અને સૂર્યનો નકારાત્મક પ્રભાવ પડશે. સૂર્યગ્રહણ એવા સમયે થશે જ્યારે રાહુ - કેતુ સહિત કુલ 6 ગ્રહો વક્રી રહેશે. જ્યોતિષીઓનું કહેવું છે કે ગ્રહણ કાળમાં ખાસ મંત્રોના જાપથી સંકટ ટળી શકે છે.
સૂર્યગ્રહણનો સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલાંથી એટલે કે 20 જૂનના રાતના 9.25 મિનિટથી શરૂ થયો છે. ગ્રહણમાં સૂતકકાળ ખાસ માનવામાં આવે છે. આ માટે ખાસ મંત્રોનો જાપ જરૂરી છે.