હકીકતમાં જોઈએ તો, મોદી સરકાર એક એવી યોજના લાવી છે. જેનાથી આપને વિજળી બિલ ચુકવવું પડશે નહીં.
મોંઘવારીમાં જનતાને મળશે મોટો લાભ
લાઈટ બિલ ચુકવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે
25 વર્ષ સુધી કોઈ લાઈટ બિલ ભરવું પડશે નહીં
દેશમાં ઝડપથી વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારીથી લોકો પરેશાન છે. જો કે, સરકાર તરફથી મોંઘવારી ઘટાડવા અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવા માટે કેટલીય યોજના ચલાવી રહી છે. આ યોજનાઓને લઈને દેશના ગરીબ વર્ગના લોકોને મોંઘવારી થોડી રાહત મળી રહી છે. જો કે, આ તમામની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં મોદી સરકાર એવી યોજના લાવી છે. જેનાથી આપને વિજળી બિલ ચુકવવું પડશે નહીં. જે પણ પુરા 25 વર્ષ સુધી. તો આવો જાણીએ શું છે આ મોદી સરકારની યોજના અને કેવી રીતે તેનો લાભ લઈ શકાય.
Solar Rooftop Subsidy Yojana હકીકતમાં મોદી સરકારે જનતાને રાહત આપવા માટે એક ખાસ યોજના બનાવી છે. જે સામાન્ય જનતાને મોટી રાહત આપશે. સરકારની આ યોજનાથી લોકોને 25 વર્ષ સુધઈ વિજળી બિલ ચુકવ્યા વિના 24 કલાકે ફ્રી વિજળી મળશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા આપે 72 હજાર રૂપિયા ચુકવવા પડશે.
મોદી સરકાર સોલર પાવર સ્કીમ ચલાવી રહી છે. તેમાં આપ ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. તેના માટે આપે એક સાથે પૈસા આપવાની જરુર નથી. આપ હપ્તા ભરીને પણ સોલર પેનલ લગાવી શકો છો. સરકાર તેના પર હાલમાં સબ્સિડી પણ આપી રહી છે. આવી રીતે આપ ખૂબ જ નજીવા પૈસા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકશો. મોદી સરકારની આ યોજનાનો લાભ દેશના કેટલાય નાગરિકો લઈ રહ્યા છે. શરત એ છે કે, ગ્રાહક પાસે 10 વર્ગ મીટર જગ્યા હોવી જોઈએ. તેમાંથી આપ 1 કિલોવોટ સુધી વિજળી મળશે.
જો આપ સોલર રુફટોપ યોજના અંતર્ગત પોતાના ઘર અથવા ખેતરમાં સોલર રુફટોપ પેનલ લગાવો છો, તો આપને સરકાર તરફથી 3KW સુધી સોલર રુફટોપ પેનલ લગાવવા પર 40 ટકાની અને ઊર્જા સબ્સિડી મળશે. 3KW બાદ કેન્દ્ર સરકાર આપને 10KW સુધીમાં 20 ટકાની સબ્સિડી આપશે. 3KW ની સૌર ઊર્જા પેનલ લઈ રહ્યા છો, તો 37000 × 3 = 111000 કુલ ખર્ચ પર 4 ટકાની સબ્સિડી મળશે. આવી રીતે ફક્ત 60,600થી 72,000 હજાર રૂપિયા આપવાના રહેશે.
જાણકારોનું માનીએ તો, સોલર પેનલ એક વાર લગાવ્યા બાદ 25 વર્ષ સુધી ચાલે છે. ક્રેડાએ કેન્દ્રની મદદથી દરેક રાજ્યમાં સોલર પ્લાન્ટ લગાવવાનુ આ અભિયાન શરુ કર્યું છે. તેના માટે દરેક પ્લાન્ટ લગાવવા માટે 40 ટકા સબ્સિડી આપવામાં આવે છે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધીનો હોય છે.
સોલર પેનલમાં મેંટનેંસનો ખર્ચો આવતો નથી, પણ 10 વર્ષમાં તેમની બેટરી બદલવાની હોય છે. સોલર પેનલ એક જગ્યાએથી બીજી જગ્યા પર સરળતાથી મૂવ કરી શકાય છે. એક કિલોવોટ ક્ષમતાના સોલર પેનલથી એક ઘરની જરૂરિયાતનું વિજળી બિલ સરળતાથી ચલાવી શકાય છે. જો એક એસી ચલાવવું છે તો બે કિલોવોટનું સોલર પેનલ લગાવવું પડશે.