36 હજારમાં જ સાબરકાંઠાના ખેડૂતને મળ્યો હતો પ્રોજેક્ટનો લાભ, વીજળીની ઘટની સમસ્યા થઈ દૂર
2019નો સોલાર પ્રોજેક્ટ સફળ
સિંચાઈ માટે સોલાર પ્રોજેક્ટ કારગર
બારે માસ ખેડૂતો કરી શકે છે સિંચાઈ
વીજળીની ઘટ સામે ખેડૂતો છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.પરંતુ મોટા ભાગના લોકો એ નથી જાણતા કે, સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી એક યોજના.ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવી જ શકે છે.સાથે-સાથે મફત વીજળી પણ ખેડૂતોને મળી શકે છે.અને આ યોજના છે સોલાર પ્રોજેક્ટ.
સાબરકાંઠાના ખેડૂતોને પ્રોજેક્ટથી મળી સફળતા
વીજળીની ઘટ પર રાજ્યભરના ખેડૂતો નારાજ છે.કારણ કે, તેમનો પાક સુકાઈ રહ્યો છે.પરંતુ સાબરકાંઠા જિલ્લાના કેટલાક ખેડૂતોના ખેતરો બારેમાસ લીલાછમ રહે છે.કારણ કે, તેમણે ગ્રીન એનર્જીનો ઉપયોગ શરૂ કર્યો છે.જેના કારણ તેમના ખેતરમાં ક્યારેય વીજળી જતી જ નથી.અને તેમનો પાક હંમેશા લીલોછમ રહે છે.જોકે ખેડૂતોની મુશ્કેલીઓનો અંત સરકાર દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલો સોલાર પ્રોજેક્ટ છે.જે હેઠળ ખેડૂતોએ નજીવા ખર્ચમાં પોતાના ખેતરમાં સોલાર પેનલ તો લગાવી જ.પરંતુ આજે સતત ત્રણ વર્ષથી શૂન્ય ટકા મેન્ટનન્સ સાથે ખેડૂતો સોલાર દ્વારા સિંચાઈ કરી રહ્યા છે.ખાસ વાત તો એ છે કે, સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી ખેડૂતોને અવિરત સિંચાઈ માટે વીજળી મળી રહે છે.
ખેડૂતને વીજળીના બિલમાંથી મળ્યો કાયમી છૂટકારો
મહત્વનું છે કે, સરકાર દ્વારા સિંચાઈ માટે સોલાર યોજનાની 2019માં શરૂઆત કરાઈ હતી.જેમાં 7.5 હોર્સ પાવરની મોટર અને સોલાર પેનલ માત્ર 36 હજારના ખર્ચમાં લગાવવા આવી હતી.અને સોલાર પેનલ લગાવનાર કંપની સાથે 5 વર્ષના મેન્ટેનન્સના કરાર પણ કરાયા હતા.સરકારની આ યોજનાનો બનાસકાંઠાના જાદર ગામના ખેડૂત શંકરભાઈ પટેલે લાભ લીધો હતો.અને આજે તેઓ પોતાના ખેતરમાં સોલાર પેનલની મદદથી સિંચાઈ કરી રહ્યા છે.ખાસ વાત તો એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં તેમને એકપણ રૂપિયાનો ખર્ચ નથી આવ્યો.કે ન તો વીજળીનું બિલ આવ્યું છે.
બંધ પ્રોજેક્ટ ફરી શરૂ થાય તેવી ખેડૂતોની માગ
મહત્વનું છે કે, સરકાર દ્વારા 2019માં શરૂ કરાયેલી આ યોજના તો સફળ થતી જણાઈ છે.પરંતુ હાલમાં તે યોજના બંધ થઈ ગઈ હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે.તેવામાં ફરી સરકાર આ યોજના શરૂ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.અને જો આ યોજના ફરી શરૂ થાય તો વીજળીની ઘટનો મુદ્દો તો કાયમી માટે દૂર કરી શકાય તેમ છે.
પી