ધાર્મિક દ્રષ્ટિથી ગ્રહણ લાગવું શુભ નથી. 4 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ છે ત્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર થશે અને નક્ષત્ર જ્યેષ્ઠા થશે.
ભારતમાં ક્યારે દેખાશે સૂર્યગ્રહણ
કેટલા સમયની રહેશે અવધિ
કેટલીક વાતોનું ખાસ રાખજો ધ્યાન
ક્યાં દેખાશે સૂર્યગ્રહણ?
4 ડિસેમ્બરે જે સૂર્યગ્રહણ થશે તે ભારતમાં નહી જોવા મળે. આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રીકા અને દક્ષિણી અટલાંટિક દેશોમાં દેખાશે. આંશિક સૂર્ય ગ્રહણ સવારે 10.59 વાગે શરૂ થશે.
કેટલા સમય સુધી રહેશે સૂર્ય ગ્રહણ
ભારતીય સમય પ્રમાણે આંશિક સૂર્ય ગ્રહણ 10 વાગીને 59 મીનિટ પર શરૂ થશે જે બપોરે 3 વાગીને 7 મીનિટ પર સમાપ્ત થશે. 4 કલાક અને 8 મીનિટ સુધી આ ગ્રહણ દેખાશે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તેના પર શનિ અમાસના દિવસે આવતુ સૂર્ય ગ્રહણ ખૂબ જ ભારે પડી શકે છે. એવામાં ગ્રહણના દિવસે કોઈ પણ શુભ કામ ન કરો. તે ઉપરાંત તે સમયે જ્યાં સુધી બની શકે યાત્રા ન કરો. ઈષ્ટ દેવની આરાધના કરો. ગ્રહણ વખતે ધારદાર વસ્તુઓ ન તો જુઓ અને ન તેનો ઉપયોગ કરો. ચપ્પુ, કાતરના ઉપયોગથી પણ બચીને રહો. આ દિવસે દાન જરૂરથી કરો અને સંભવ હોય તો કાળી વસ્તુઓનું દાન કરો. યાદ રાખો કે આ દિવસે કોઈ પણ કાળી વસ્તુ ન જુઓ.
સૂર્ય ગ્રહણ વખતે કંઈ પણ ન ખાઓ. ગ્રહણ પહેલા જે ભોજન-પાણીમાં તુલસીના પાન નાખ્યો હોય તેનું સેવન કરો. વગર તુલસી વાળુ ભોજન-પાણી ગ્રહણ વખતે અશુદ્ધ થઈ જાય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ્ય અને જીવન પર ભારે પડી શકી છે. ગર્ભવતી મહિલાઓ ગ્રહણ વખતે ભૂલથી પણ બહાર ન નિકળો.