દેશના કેટલાક ભાગોમાં સૂર્યગ્રહણનો અદભુત નજારો જોવા મળ્યો છે. આ દરમિયાન સૂર્યગ્રહણને લઇ કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. કેટલાંક સ્થળોએ સૂર્યગ્રહણને લઇ પ્રવર્તતી અંધશ્રદ્ધાએ હદ વટાવી દીધી હતી.
સુર્યગ્રહણને લઇને અંધશ્રદ્ધા
દિવ્યાંગ બાળકોને સૂર્યગ્રહણ દરમિયાન દાટ્યા જમીનમાં
દિવ્યાંગતા અને વિકલાંગતા દૂર થાય તેવી માન્યતા
આવી જ અંધશ્રદ્ધાની એક ઘટના કર્ણાટકના ગુલબર્ગામાં સામે આવી છે. જ્યાં સૂર્યગ્રહણ દરમિયાન જીવતાં બાળકોને ગરદન સુધી જમીનમાં દાટી દેવામાં આવે છે. વાસ્તવમાં એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે દિવ્યાંગ બાળકોને સૂર્યગ્રહણ દરમિયાન ગરદન સુધી જમીનમાં દાટવાથી તેમની દિવ્યાંગતા અને વિકલાંગતા દૂર થઇ જાય છે.
જમીનમાં બાળકના શરીરને ગરદન સુધી દાટી દીધા
જમીનમાં બાળકના શરીરને ગરદન સુધી દાટી દીધા હોવાની તસવીરો પણ સામે આવી છે, જેમાં બાળકનો માત્ર ચહેરો બહાર દેખાય છે. એક માન્યતા એવી પણ છે કે સૌરમંડળમાં શનિ એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર હંમેશાં સૂર્યગ્રહણ લાગેલું રહે છે.
15 સપ્ટેમ્બર, 2006 માં બની હતી આ ઘટના
આ આશ્ચર્યજનક, પરંતુ સત્ય હકીકત છે કે જેને દુનિયાભરના વિજ્ઞાનીઓ પણ પુષ્ટિ આપે છે. શનિ ગ્રહની આસપાસ 62 મોટા ચંદ્રમા હોય છે, જે સંપૂર્ણ સૂર્યગ્રહણ બનાવી શકે છે, જોકે એનો અર્થ એ નથી કે વધુ ચંદ્રમા હોય તો વધુ ગ્રહણ લાગે. શનિ ગ્રહ પર 15 વર્ષમાં એક વાર સૂર્યગ્રહણ લાગે છે. છેલ્લે 15 સપ્ટેમ્બર, 2006 માં આવું થયું હતુ.
5 ઓકટોબર, 1997 ના રોજ કેસીની નામનો સેટેલાઇટ થયો લોન્ચ
શનિ ગ્રહના અભ્યાસ માટે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ 15 ઓકટોબર, 1997 ના રોજ કેસીની નામનો સેટેલાઇટ શનિ ગ્રહના અભ્યાસ માટે લોન્ચ કર્યો હતો. નાસાનું કેસીની યાન આઠ વર્ષ બાદ એટલે કે 1 જુલાઇ, 2004ના રોજ શનિ ગ્રહની કક્ષામાં સ્થાપિત થયું હતું અને ત્યાર બાદ તેણે શનિની તસવીરો મોકલવાનું શરૂ કર્યું હતું.