વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ શનિ અમાસના દિવસે છે. આવો સંયોગ ક્યારેક જ બને છે પરંતુ ગ્રહણ અને શનિ અમાસનું એક સાથે આવવું ઘણા લોકો માટે ભારે પડી શકે છે.
4 ડિસેમ્બરે છે વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ
સૂર્ય ગ્રહણના દિવસે બની રહ્યો છે દુર્લભ સંયોગ
જાણો કઈ કઈ વાતોનું રાખશો ધ્યાન
વર્ષ 2021નું છેલ્લા સૂર્ય ગ્રહણ 4 ડિસેમ્બર 2021 શનિવારે અમાસના દિવસે આવી રહ્યું છે. એમાં પણ આ વખતની અમાસ શનિવારે છે. એવામાં તે દિવસ ધર્મ અને જ્યોતિષની નજરથી ખૂબ જ ખાસ છે. એવા સંયોગ ભાગ્યે જ બને છે. જ્યારે શનિ અમાસના દિવસે સૂર્ય ગ્રહણ આવે છે. બધી અમાસમાં શનિ અમાસને વધારે ખાસ માનવામાં આવે છે અને ગ્રહણને અશુભ માનવામાં આવે છે. એવામાં આ દિવસે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે. આ સંયોગ લોકો પર ભારે પડી શકે છે.
સૂર્ય ગ્રહણ અને અમાસનો સમય
માર્ગશીર્ષ મહિનાની આ અમાસ તિથિ 3 ડિસેમ્બરે બપોરે 4.55 વાગ્યાથી 4 ડિસેમ્બરની બપોરે 1.12 વાગ્યા સુધી રહેશે. ત્યાં જ 4 ડિસેમ્બરે આવતા સૂર્ય ગ્રહણનો સમય સવારે 10.59થી બપોરે 03.07 વાગ્યા સુધી રહેશે. આ પ્રકારે સૂર્ય ગ્રહણનો લગભગ અડધો સમય અમાસની તિથિમાં આવશે. એવામાં સૂર્ય ગ્રહણની સાથે સાથે શનિદેવના પ્રકોપથી પણ બચવાનું રહેશે. તેના માટે 'सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय:। मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:।।' મંત્રનો જાપ કરો. તેનાથી લાભ થશે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
સૂર્ય ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તેના પર શનિ અમાસના દિવસે આવતુ સૂર્ય ગ્રહણ ખૂબ જ ભારે પડી શકે છે. એવામાં ગ્રહણના દિવસે કોઈ પણ શુભ કામ ન કરો. તે ઉપરાંત તે સમયે જ્યાં સુધી બની શકે યાત્રા ન કરો. ઈષ્ટ દેવની આરાધના કરો. ગ્રહણ વખતે ધારદાર વસ્તુઓ ન તો જુઓ અને ન તેનો ઉપયોગ કરો. ચપ્પુ, કાતરના ઉપયોગથી પણ બચીને રહો. આ દિવસે દાન જરૂરથી કરો અને સંભવ હોય તો કાળી વસ્તુઓનું દાન કરો. યાદ રાખો કે આ દિવસે કોઈ પણ કાળી વસ્તુ ન જુઓ.
સૂર્ય ગ્રહણ વખતે કંઈ પણ ન ખાઓ. ગ્રહણ પહેલા જે ભોજન-પાણીમાં તુલસીના પાન નાખ્યો હોય તેનું સેવન કરો. વગર તુલસી વાળુ ભોજન-પાણી ગ્રહણ વખતે અશુદ્ધ થઈ જાય છે. તેનું સેવન કરવું સ્વાસ્થ્ય અને જીવન પર ભારે પડી શકી છે. ગર્ભવતી મહિલાઓ ગ્રહણ વખતે ભૂલથી પણ બહાર ન નિકળો.