આજે સૂર્યગ્રહણના દિવસે ગ્રહણની અસરો વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગ્રહણના લાભાલાભ વિશે મહત્વની વાતો જણાવી હતી. તેમણે ગ્રહણ વિશેની કેટલીક ભયજનક વાતો પણ જણાવી હતી.
ગ્રહણને લઈને અંબાલાલ પટેલે આપી પ્રતિક્રિયા
આ ગ્રહણ દરમિયાન મેઘ ગર્જના થાય તો વર્ષા ગર્ભ ગળી જાય
ગ્રહણ વખતે વિવિધ વાદળો જણાય તો ભયપેદા થાય
સૂર્યગ્રહણને લઈને અંબાલાલ પટેલે મહત્વની વાત જણાવી હતી તેમણે કહ્યુ હતુ કે, જો ગ્રહણ વખતે મેઘગર્જના થાય તો વર્ષા ગર્ભ ગળી જાય છે એટલું જ નહીં ગ્રહણમાં વાદળા ઘેરાય તો તે અશુભ છે.
શું કહ્યું અંબાલાલે?
વીજળી થાય તો દાંતસુર વાળા પ્રાણીઓને ઉપાધિ આવે છે. જો ગ્રહણ પછી ધૂમમ્સ ઘેરાય તો રોગ ચાળો ફાટી નીકળે છે. જો ગ્રહણ પછી સૂર્યને ફરતા કુંડાળા જણાય તો રોગ ચાળો ફાટી નીકળે છે. ગ્રહણ વખતે વિવિધ વાદળો જણાય તો ભયપેદા થાય. ગ્રહણ પછીના સુસવાટા ભર્યા પવનો સારા ગણાતા નથી. ગ્રહણ પછી 7 દિવસમાં નિર્મળ જલની વૃષ્ટિ થાય તો ગ્રહનનું ઝેર ધોવાઈ જાય છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં જુદા જુદા ભાગમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ, પાટણ વગેરેમાં ગ્રહણ દેખાશે. અમદાવાદમાં સવારે 10.03 મિનિટે ગ્રહણ દેખાશે. જ્યારે સુરતમાં સવારે 10.02 મિનિટે, રાજકોટમાં 9.59 મિનિટે ગ્રહણ જોવા મળશે. તો સૂર્ય ગ્રહણને કારણે આજે રાત્રીથી મંદિર બંધ રહેશે. કાલેબપોર સુધી દેશભરના તમામ મંદિર બંધ રહેશે.