વર્ષ 2019નું આજે છેલ્લું ખંડગ્રાસ સૂર્યગ્રહણ યોજાયું છે. વર્ષ 2019માં કુલ 5 ગ્રહણ થયા. 2 અને 3 જુલાઈની રાતે બીજું સૂર્યગ્રહણ થયું. જો કે આજે છેલ્લું સૂર્યગ્રહણ છે. જે ભારતમાં જોવા મળશે. સૂર્યગ્રહણનો પ્રભાવ જીવજંતુઓ અને પ્રકૃતિ પર પડે છે. જાણીએ સૂર્યગ્રહણનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે વિશે.
ગ્રહણ સાથે સંકળાયેલી છે આ વાત, આ કારણે થાય છે ગ્રહણ
આ કારણે રાહુ-કેતુના પ્રભાવથી ગ્રહણ લાગે છેઃ ધર્મ
એક વર્ષમાં 3 કે તેથી વધારે ગ્રહણ શુભ ગણાતા નથીઃ જ્યોતિષ
પુરાણો અનુસાર આવું છે ગ્રહણનું મહત્વ
મત્સ્ય પુરાણમાં કહ્યું છે કે સૂર્યગ્રહણને લઈને જાણકારી મળી છે. પુરાણના અનુસાર સૂર્યગ્રહણનો સંબંધ રાહુ-કેતુ અને અમૃત પાનની કથા સાથે છે. સાગરમંથન બાદ અમૃત વહેંચવામાં આવી રહ્યું છે ત્યારે સ્વરભાનુ નામનો અસુર અમૃત પીવાની લાલચમાં રૂપ બદલીને સૂર્ય અને ચંદ્ર વચ્ચે બેઠા પણ દેવતાઓએ તેમને ઓળખી લીધા અને ભગવાન વિષ્ણુને તેમની ફરિયાદ કરી હતી.
ગ્રહણ સાથે સંકળાયેલી છે આ વાત, આ કારણે થાય છે ગ્રહણ
જ્યારે સૂર્ય અને ચંદ્રએ ફરિયાદ કરી ત્યારે બંને દેવતાઓને મારવા દોડ્યા. ભગવાન વિષ્ણુએ એક પણ પળનો વિલંબ કર્યા વિના પોતાના સુદર્શનથી ચક્ર સ્વરભાનુનું માથું ધડથી અલગ કર્યું. આ અસુર અમૃત પી ચૂક્યો હતો. આ માટે મૃત્યુ બાદ પણ જીવિત રહ્યો. આ માથું રાહુ કહેવાયું અને ધડ કેતુ. કથા અનુસાર આ દિવસે પણ સૂર્ય અને ચંદ્ર પાસે આવે છે અને આ કારણે રાહુ-કેતુના પ્રભાવથી ગ્રહણ લાગે છે.
સૂર્યગ્રહણનો સંબંધ મહાભારત સાથે છે
જે દિવસથી પાંડવો અને કૌરવોની સાથે આખો રાજપાટ અને દ્રૌપદીને હારી ગયા હતા ત્યારે સૂર્યગ્રહણ હતું. મહાભારતના એક અધ્યાયમાં કહેવાયું છે કે અર્જુને જે દિવસે જયદ્વથનો વધ કર્યો હતો ત્યારે પણ સૂર્યગ્રહણ હતું. આ કારણે જ અર્જુન જયદ્વથનો વધ કરવામાં સફળ થયા હતા.
ભગવાન કૃષ્ણ સાથે પણ છે સૂર્યગ્રહણનો સંબંધ
ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધ સૂર્યગ્રહણ સાથે રહ્યો છે. જે દિવસે દ્વારિકા નગરી ડૂબી ત્યારે પણ સૂર્યગ્રહણ હતું. શાસ્ત્રોમાં અનેક તથ્યો છે. સૂર્યગ્રહણના કારણે જ અર્જુનના પ્રાણ પણ બચ્યા છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનને ખ્યાલ હતો કે સૂર્યગ્રહણ છે અને ગ્રહણમાં સૂર્ય છૂપાઈ ગયો અને સાથે જ સૂર્યાસ્ત થયો. હવે કૌરવોએ અગ્નિસમાધિ લીધી. અર્જુને પળવારમાં જયદ્વથનો વધ કર્યો અને આ કારણે અર્જુનનો જીવ બચ્યો.
જ્યોતિષની રીતે છે આ મહત્વ
જ્યોતિષના અનુસાર એક વર્ષમાં 3 કે તેથી વધારે ગ્રહણ શુભ ગણાતા નથી. ઉલ્લેખનીય છે કે જો તેવું થાય તો પ્રાકૃતિક મુશ્કેલીઓ અને સત્તા પરિવર્તન જોવા મળી શકે છે. ગ્રહણથી રાજા અને પ્રજામાં કોઈ એકને નુકશાન થાય છે.
વૈજ્ઞાનિક રીતે આવું છે ગ્રહણનું મહત્વ
આ એક ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર ફરતા ફરતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો સૂર્યની ચમકતી રોશની ચંદ્રમાના કારણે જોવા મતી નથી. ચંદ્રમાના કારણે સૂર્ય પૂર્ણ કે આંશિક રૂપે ઢંકાઈ જાય છે. જેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.