સવારે 8.00 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થયું છે જે બપોરે 1.56 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ 5.36 કલાક સુધીનું રહેશે. ભારત સહિત અનેક દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળશે. સૂર્યગ્રહણ દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઇએ. ગ્રહણના 12 કલાક અગાઉ જ સૂર્યગ્રહણ શરૂ થઇ જાય છે. સૂર્યગ્રહણની હવામાન પર પણ વ્યાપક અસર જોવા મળશે. સૂર્યગ્રહણથી બરફવર્ષા અને કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ સાથે સૂર્યગ્રહણ દરમિયાન મંદિરોના કપાટ બંધ રહેશે. સૂર્યગ્રહણ બાદ મંદિરોમાં સફાઇ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રહણ દરમિયાન પૂજા, ઉપાસના અને દર્શન બંધ રખાય છે.
આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ
સવારે 8 વાગ્યાથી બપોરે 1.56 કલાક સુધી રહેશે સૂર્યગ્રહણ
દક્ષિણ ભારતમાં સૌથી વધુ સમય કંકણાકાર સૂર્યગ્રહણ જોવા મળશે
કંકણાકાર સૂર્યગ્રહણ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. આ પૂર્ણ સૂર્યગ્રહણ નથી. આ સમયે ચંદ્રમાની છાયા સૂર્યના આખા ભાગને ઢાંકી શકશે નહીં. સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહેશે. આ ગ્રહણ ધનુ રાશિમાં અને મૂળ નક્ષત્રમાં રહેશે. સૂર્યની સાથે કેતુ, બૃહસ્પતિ અને ચંદ્ર હોવાના કારણે જ્યોતિષમાં તેને કલ્યાણકારી માનવામાં આવે છે. આ ગ્રહણ લાભ આપનારું રહેશે. ભારતમાં સવારે 8 વાગ્યાથી ગ્રહણ ચાલુ થશે. આ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ રિંગ ઓફ ફાયરનું નામ આપ્યું છે.
કંકણાકાર સૂર્યગ્રહણ આ સમયે જોઈ શકાશે
કંકણાકાર સૂર્યગ્રહણ સવારે 9.06 કલાકથી જોવા મળશે
કંકણાકાર ગ્રહણ તબક્કે 92.9 ટકા હિસ્સા પર ચંદ્ર છવાયેલો રહેશે
દક્ષિણ ભારતમાં સૌથી વધુ સમય કંકણાકાર સૂર્યગ્રહણ જોવા મળશે
ક્યાં ક્યાં જોવા મળશે ગ્રહણ.
ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, કતરમાં સૂર્યગ્રહણ જોવા મળશે
ઓમાન, સંયુક્ત આરબ અમિરાતમાં ગ્રહણ જોવા મળશે
શ્રીલંકાના ઉત્તરીય પ્રદેશ, મલેશિયા ગ્રહણ જોવા મળશે
સિંગાપુર, સુમાત્રા અને બોર્નિયોમાં પણ સૂર્યગ્રહણ જોવા મળશે
કયા સમયે લાગશે સૂતક
ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં જ સૂતક લાગે છે. આ નિયમ અનુસાર ભારતમાં 25 ડિસેમ્બરની રાતે 8 વાગ્યાથી લઈને 26 ડિસેમ્બર બપોરે 1.36 મિનિટ સુધી સૂતક રહેશે. સૂતક સમાપ્ત થયા બાદ સ્નાન -દાન અને દેવી દેવતાના સ્પર્શ અને પૂજા પાઠ કરી શકાશે. મંદિરોમાં પણ આરતી બાદ સૂતકના કારણે તેમના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે.
ગીર સોમનાથ મંદિરમાં સમયમાં ફેરફાર
સોમનાથ મંદિરમાં પૂજાવિધિ તથા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ હોવાથી પૂજાવિધિ તથા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રાત: આરતી પુજન ઇત્યાદી પુજાવિધી કાર્યો થશે નહી. મહાપુજા આરતી મધ્યાહને ગ્રહણ મોક્ષ બાદ થશે. મધ્યાહન પુજન-આરતી નિયત સમય મુજબ કરવામાં આવશે.
દ્ધારકા મંદિરમાં રહેશે આ ફેરફાર
આજે દ્ધારકા મંદિરના આરતીના સમયમાં ફેરફાર થયા છે. દ્વારકા મંદિરમા સુર્ય ગ્રહણના કારણે મંદિરનો સમયમા ફેરફાર કરાયો છે. મંદિર સવારના 6.30 ની જગ્યાએ બપોરે 12 કલાકે ખુલશે. બપોરે 12 થી 12.30 સુધી દ્ધારકાધીશની મંગલા આરતી કરાશે. 12.30 થી 1 વાગ્યે દ્ધારકાધીશને સ્નાન કરાવવામા આવશે. 1.30 થી 2.30 વાગ્યે દ્વારકાધીશજીના શ્રૂંગાર દર્શન થશે અને 2.30 વાગ્યે દ્વારકાધીશજીને રાજભોગ ધરાવવામાં આવશે. દ્વારકાધીશજીને કેશર યુક્ત જલ ધરાવાશે અને 3.30 થી 5.30 સુધી મંદિર બંધ રખાશે. સાંજે 5.30 થી 9.45 વાગ્યા સુધી દ્વારકાધીશના દર્શન નિત્યક્રમ મુંજબ રહશે.
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મંદિરોમાં સૂર્ય ગ્રહણને લઇને બપોર સુધી બંધ રહેશે. બપોર સુધી પૂજા અને આરતી સહિતની કામગીરી બંધ રહેશે. ચોટીલા, મુળી, દુધઈ, ડવાળા,દુધરેજ સહિતના મંદિરો બંધ રહેશે. દર્શનાર્થીઓ માટે મંદિરમાં પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી.