સોખડા સ્વામી નારાયણ મંદિર વિવાદ દિવસને દિવસે વધુ વકરી રહ્યો છે. સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં છે ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મહત્વનો આદેશ આપી બાકરોલમાં કાયમી વસવાટની પ્રબોધ સ્વામી જુથની માગણીને ફગાવી દીધી હતી. ત્યારે આજે આણંદના બાકરોલ ખાતે આત્મીય ધામનું બોર્ડ બદલવામાં આવતા ફરી બળતામાં ઘી હોમાયું છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના સમર્થકોએ બોર્ડ બદલી નાખતા પ્રબોધ સ્વામી જુથના લોકો વિરોધ કરી રહ્યા છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના ફોટોવાળુ બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં યોગી ડીવાઈન સંસ્થાનું નામ પણ લખ્યું હતું. જો કે મામલો જોર પકડે તે પહેલા પોલીસે આવીને થાળે પાડ્યો હતો.
ટ્રસ્ટની મિલકત કે રહેઠાણમાં આશરો લઇ રહેલા લોકોને દુર ન કરવા આદેશ
વડોદરા સોખડા મંદિર વિવાદ મામલે વડોદરા સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો હતો ટ્રસ્ટની મિલકત કે રહેઠાણમાં આશરો લઇ રહેલા લોકોને દુર ન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. સાધુ,સંતો,સાધ્વીઓ અને સેવકોને બહારના કાઢવા આદેશ કર્યો છે. ટ્રસ્ટના આ નિર્ણયથી પ્રબોધ સ્વામી જૂથને મોટી રાહત મળી છે. અરજદારોની મૂળ અરજીનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ આદેશ માન્ય રાખવા જણાવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટે કાયમી વસવાટની અરજી ફગાવી હતી
મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે જે થયેલી સુનાવણીમાં કોર્ટે ટાંક્યું હતું કે કાયમી વસવાટ રૂપે નિર્ણય નગર અને આણંદ ના બાકરોલમાં રહેવાની પરમીશન નથી ફક્ત વચગાળા માટે ઉપરોક્ત હુકમ હતો. હાઇકોર્ટનું કહેવુ હતું કે સંતો અને સાધ્વીઓના વ્યક્તિગત અને ખાનગી હક્કો માટે હેબિયર્સ કૉર્પસ પિટિશનએ યોગ્ય ફોરમ નથી. હાઇકોર્ટનું કહેવુ હતું કે હાલના તબક્કે કાયમી વસવાટની માગણી સ્વીકારી શકાય નહીં. કોર્ટે નોધ્યું કે વચગાળાની વ્યવસ્થા પ્રમાણે તેમને અમદાવાદના નિર્ણય નગર અને આણંદ ના બાકરોલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ હતી. જોકે એમને કાયમી વસવાટ આપવાની કોઈ માંગ અરજીમાં નથી. એવા સમયે જે માંગણી જ નહોતી એવી માંગણી પાછળના તબ્બકે કરીને રાહત માંગવાની કોશિશ સ્વીકારી શકાય નહિ.
સંતો-હરિભક્તોના પાસપોર્ટ કરાવ્યા હતા જમા
મહત્વનું છે કે અગાઉ આ વિવાદને લઇને હાઈકોર્ટે 180 સંતોને સાંભળ્યા હતા.. હાઈકોર્ટે સુનાવણીમાં નોંધ્યુ હતું કે, 4 મહિનામાં સંતોને ખરાબ રીતે હેરાન કરવામાં આવ્યા હતા. કોર્ટે આદેશ કર્યો હતો કે, મહિલાઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પમાં રાખવામાં આવે તથા તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતના પુરાવા જમા કરવામાં આવે ઉલ્લેખનીય છે કે ગાદી પ્રાપ્ત કરવા પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેથી જૂથ વિવાદને પગલે પ્રબોધ સ્વામી સહિતના અન્ય સંતોએ હરિધામ છોડવાનો નિર્ણય લીધો હતો.
હાઇકોર્ટે અગાઉ કર્યો હતો આ આદેશ
હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી હતી કે જેમાં જણાવ્યું હતું કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શક્શે નહી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા તેમજ મહિલાઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરવામાં આવ્યો હતો.