હરિધામ સોખડા મંદિરમાં ચાલી રહેલા વિવાદનો આવતી કાલે અંત આવી શકે છે. હાઈકોર્ટે બંને પક્ષોને સમાધાનનું વલણ રાખવા સૂચન કર્યું
સોખડા હરિધામ મંદિરના વિવાદનો આવશે અંત
કોર્ટે સમાધાનનું વલણ રાખવા બને પક્ષોને કર્યું સૂચન
આવતીકાલે ગુજરાત હાઇકોર્ટના થશે સુનાવણી
ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન શ્રેષ્ઠ ઉપાય છેઃ HC
સોખડા હરિધામ મંદિરના વિવાદનો આવશે અંત
સોખડા હરિધામ વિવાદ મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે બંને પક્ષોને સમાધાનનું વલણ રાખવા જણાવ્યું હતું કે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓમાં સમાધાન શ્રેષ્ઠ ઉપાય છે. ધાર્મિક સંસ્થાઓમાં આવા વિવાદ યોગન નથી. તમને જણાવી દઈએ કે, બંને પક્ષોના વકીલો આવતીકાલે સાંજે 5 વાગ્યે મિટિંગ કરશે.
સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, હરિધામ સોખડા મંદિરનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પ્રભુ સ્વામીના સમર્થકોએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સની પિટીશન દાખલ કરી હતી. અગાઉ સોખડાના સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં હાઇકોર્ટે હેબિયસ કોપર્સ પિટિશનના મામલે મહત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા સાધ્વીઓને નિર્ણયનગર સંત નિવાસ કેમ્પસમા રાખવા આદેશ કરાયો છે, જ્યારે પુરૂષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવા કોર્ટે આદેશ કર્યો છે. એટલું જ નહીં, હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ પરત કરવા HCએ આદેશ આપ્યા છે.
આ પહેલા કુલ 180 સંતોને કોર્ટે સાંભળ્યા હતાં
સોખડા હરિધામ વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટે આદેશ પહેલા કુલ 180 સંતોને કોર્ટે સાંભળ્યા હતા. ત્યારબાદ કોર્ટે નોંધ્યું હતું કે, આ સંતોને 4 મહિનામાં ખરાબ રીતે હેરાન કર્યા છે. એટલે પુરુષ સંતોને આણંદના બાકરોલ આશ્રમમાં લઇ જવામાં આવે, જ્યારે મહિલા સાધ્વીઓને નિર્ણય નગર સંત નિવાસ કેમ્પસમાં રાખવા આદેશ કરાયો છે. તમામ સંતો અને હરિભક્તોના પાસપોર્ટ સહિતની વસ્તુ તેમને પરત કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે.
કઈ રીતે શરૂ થયો હતો વિવાદ?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે. આ વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે.